________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૨૧ ] ૯. કલ્પિત સ્વાર્થ જ સર્વ અપરાધનું, સર્વ પાપનું અને
અશ્રેયનું મૂળ છે. ૧૦. સામામાં રહેલા સ્વાભાવિક ગુણેને જ જોતા રહી, તેને
પ્રોત્સાહન આપવું એ જ આપણે ધર્મ છે; તેથી સ્વપર
ઉભયને લાભ થવા પામે છે. ૧૧. ખરી પૂર્ણતા પામેલે જીવ સર્વત્ર પૂર્ણતા જોઈ રહે છે. ૧૨. સદ્દગુણીને જોઈ દિલમાં પ્રમોદ પામો, મનમાં લગારે
કચવાટ ધર નહીં. ૧૩. પ્રમોદ યા મુદિતા ભાવથી આપણું હૃદય કમળ બને છે. ૧૪. આત્મા મૂળ તો સ્ફટિક જે નિર્મળ છે, પરંતુ પાપ
પુન્યરૂપ ઉપાધિના સંબંધથી તે રાગદ્વેષાદિક વિકારને
પામતે રહે છે. ૧૫. સદ્ધિકોગે કર્મન્જનિત રાગદ્વેષાદિક પરિણામ ટાળી શકાય છે. ૧૬. પરનિંદાદિક પાપકારી જીવ ઉપર પણ દ્વેષ નહીં ધરતાં
બની શકે તો નિઃસ્વાર્થ પ્રેમવડે તેને વશ કરી સાચા
માર્ગે સ્થાપન કર. ૧૭. દ્વેષ કરવાથી તો સ્વપર ઉભયનું બગડે છે, વૈરવિરોધ વધે છે. ૧૮. સામાને સુધારવો અશક્ય જણાય ત્યારે પણ મનમાં ખેદ
નહીં કરતાં, સામાને કર્મવશવતી જાણી, સમભાવે રહી સ્વ
પરહિત સાધવું. ૧૯. છદ્મસ્થ મનુષ્ય ભૂલને પાત્ર છે. તેને દેખીને હસવું નહીં,
પણ મનનું સમાધાન કરવું.