________________
લેખ સંગ્રહ : ૨:
[ ૨૪૫ ] ૩. પરંતુ નિષ્કલંક પવિત્રતા જેનામાં હશે તે જ તે કુંચીને ઉપયોગ કરી શકશે. અનુભવવડે તેની ખાત્રી થઈ શકશે.
૪. આવી પડતા દુઃખથી પણ પ્રાણીને ઘણું શિખવાનું મળે છે.
૫. દુઃખને અદીનભાવે સહન કરતા રહેવાથી આપણામાં અંદર રહેલી દિવ્યતા પ્રગટવાનું બની શકે છે, જેના અંતે મુક્તિસર્વ બંધનોથી છૂટવાનું પ્રાપ્ત કરી શકાય છે.
૬. હુંપણાથી અંધ નહીં બનવું. જે જ્ઞાનની દવા અન્યને આપવા આપણે તત્પર બનીએ છીએ તે દવા આપણે જાતે જ પ્રથમ પહેલાં લેવી જોઈએ.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦ ]
સુપુત્રીને ખરા કરિયાવરરૂપ દશ હિતશિક્ષાઓ.
૧. જે બહેન ! શ્વસુરગ્રહવાસી થઈ તારે અંદરને અગ્નિ બહાર કાઢવો નહીં અર્થાત્ સાસરીયાને દોષ દીઠામાં આવે તો એની બીજાને મેઢે વાત ઉચ્ચારવી નહીં.
૨. બહારનો અગ્નિ અંદર આણુ નહીં અર્થાત્ પાડોશી સાસરીયાનું વાંકું બેલે તો અમુક માણસ તમારી આમ વાત કરતું હતું ” એમ ઘેર આવીને કહેવું નહીં.
૩. જે આપે તેને જ આપવું-કોઈ કાંઈ વસ્તુ માગવા આવે તે એ પાછી આપી જાય એમ હોય તો જ એને આપવી.
૪. ન આપે એને ન આપવું-માગી ચીજ પાછી ન આપે એને ન આપવી.