________________
[ ૨૫૪ ]
શ્રી કરવિજયજી A ૬. તૃષ્ણાના તાપને સંતોષ–જળ વગર શાંત કરવા કઈ સમર્થ થઈ શકતું નથી.
૭. સંતોષ–અમૃતનું સેવન કરનારને માનસિક દુખ રહેવા પામતું નથી, તેથી તે મોક્ષને અધિકારી થવા પામે છે અને પિતે ઊંચી પદવી પામી અન્ય જનોને પણ માર્ગદર્શક બને છે.
૮. મુમુક્ષુ અને લેભને નાશ કરવા સંતેષ ગુણને ધારણ કરે છે, દુઃખની શાન્તિ કરવા માટે વૃતિ–સમતા ગુણને ધારે છે અને તપની પુષ્ટિ માટે જ્ઞાન ગુણને ધારણ કરે છે.
૯. જ્ઞાનીઓએ ઠીક જ કહ્યું છે કે “તૃષ્ણ જે કઈ મેટ વ્યાધિ નથી અને સંતોષ ઉપરાંત બીજું કઈ ઉત્તમ સુખ નથી.” એ હિતવચનને યથાર્થ રીતે અનુસરનારને શી ખામી રહે? કશી ન રહે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૬ ]
પ્રકીર્ણ બેધ. (૧) શિક્ષા-શીલ-બોધ ગ્રહણ કરવા લાયક કેણ કહેવાય? ૧. જેને હસાહસ કરવાની ટેવ (પ્રકૃતિ) ન હોય. ૨. જે ઈન્દ્રિયોને સદા ય કાબૂમાં રાખનાર હોય. ૩. જે પરના મર્મ પ્રકાશે નહીં અથવા માર્મિક વચન બોલે નહીં. ૪-૫. જે દેશથી કે સર્વથી શીલ-સદાચાર–સંયમને વિરાધે નહીં. ૬. જે ઈન્દ્રિયના વિષયેમાં અતિ લુપતા કરતો ન હોય. ૭. જે ક્રોધ-કષાયને કરતે-ઉદરતે ન હેય. ૮. પ્રિય અને પથ્ય એવા સત્ય વચનને જ વદતે હેય.