________________
[ ર૫ર ]
શ્રી કરવિજયજી ૭. મહાવીરસ્વામી-પ્રમુખ પરમ પવિત્ર પુરુષનાં ચરિત્ર વાંચી–સાંભળી, તેનું મનન કરી, જેમ બને તેમ શીધ્ર ચેતી, સ્વછંદતા તજી, પ્રમાદ રહિત સત્ય સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવા માટે સુજ્ઞ જનેએ સફળ પ્રયાસ કરવાનું લક્ષ રાખવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૫ ]
ચાર પ્રકારના કર્મચંડાળ શાસ્ત્રકાર કેને કહે છે?
૧ કટ સાક્ષી–ટી સાક્ષી પૂરી બીજાને અન્યાય મળે તેમ નીતિને માર્ગ લો પનારે.
૨ સુહુઃ દ્રોહી-વિશ્વાસુ મિત્રને કે સ્વજનને દુખ પડે તેની દરકાર રાખ્યા વગર તેની ગુહ્ય-મર્મની વાત પ્રકાશનાર તેમજ એવાં અછાજતા કૂર કામ કરી તેને દુભવનારો.
૩ કૃતજ્ઞી–અન્ય કેઈએ કરેલા ગુણને ભૂલી-વિસારી તેને ઊલટે અવગુણ-નુકશાન કરનાર થઈ ઉપકારને બદલે અપકાર કરી બહુ મલિનતા આદરના અને - ૪ દીર્ઘ રોષવાન–અત્યંત આકરો કેધ રાખી સ્વપરને સંતાપ ઉપજાવનારે
એ ચારેને શાસ્ત્રકાર કર્મ–ચંડાળ કહે છે. પાંચમો જાતિચંડાળ હોય તેમાં એવા દુર્ગણ ન હોય તો તે પહેલા ચાર કરતા સારો ગુણવાન હોઈ શકે છે અને ઉત્તમ કુળ કે જાતિમાં જન્મ પામ્યા છતાં પૂર્વે કહા તેવા અધમ આચરણ સેવાય અને તેવાં નીચ આચરણ કઈ રીતે ન જ જાય છે તે કર્મચંડાળ તરીકે લેખાય છે. તેવા દુષ્ટ કર્મ કરવાથી આ લોકમાં