________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૫૧ ]
ખરું સુખ.
૧. જે સુખ આત્માને આધીન છે તે સ્વતંત્ર સ્વાભાવિક સુખ જ સાચું સુખ છે, બાકીનું બધું પરાધીન સુખ ફક્ત કલ્પિત, તુચ્છ અને ક્ષણિક—જોતજોતામાં હતુ–નહાતુ થઇ જાય એવુ વૃથા નામમાત્ર સુખ છે.
૨. મેટા તેજસ્વી રાજાએને પણ અન્ય વસ્તુ(રાજ્યાદિક)ને આધીન જે સુખ છે તે ઉપાધિમય હાઇ કષ્ટરૂપ જ છે, એમ વિચારી આત્માને આધીન જે સ્વાભાવિક સુખ છે તેને જ સ્વીકાર કરવા ઘટે છે.
૩. આત્માને આધીન તે જ સુખ અને પરાધીન સઘળુ દુ:ખ સમજનારા ક્ષણિક અને કલ્પિત એવા તુચ્છ વિષયાક્રિક સુખમાં કેમ મુંઝાય ? તેમાં તેએ કેમ રતિ-પ્રીતિ–આસક્તિ ધારણ કરે ?
૪. નિ:સંગતા–વિરક્તતાથી માક્ષદાયક ખરું સુખ સાંપડે છે અને પરમાં રતિ–પ્રીતિ-આસક્તિ કરવાથી સંસારની વૃદ્ધિ કરનારું જન્મમરણુજનિત અનંત દુઃખ પ્રાપ્ત થાય છે.
૫. જ્ઞાની–વિવેકી જનેા ગમે તેવા સુખ-દુ:ખ પ્રસ ંગે સિંહવૃત્તિ ધારણ કરી સમતાયેાગે કમ'ની ભારે નિજ રા કરે છે અને અજ્ઞાની– અવિવેકી જના નીચ શ્વાનવૃત્તિવડે નવા કર્મબંધ કરતા રહે છે.
૬. જ્ઞાની–વિવેકી જના પ્રાપ્ત પુન્યસામગ્રીના સારામાં સારા ઉપયાગ કરી પેાતાનુ કલ્યાણ સાધે છે પણ અજ્ઞાની-અવિવેકી જના તેને વૃથા ગુમાવે છે અથવા સ્વચ્છંદપણે તેના ગેરઉપચેાગ કરે છે.