________________
લેખ સગ્રહ : ૨ :
[ ૨૪૯ ]
મેહનીય કર્મને અનુક્રમે ખપાવે તથા પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, નવ પ્રકારના દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અતરાયકર્મીને એક સાથે ખપાવે. ત્યારબાદ પ્રધાન, અનંત, પરિપૂર્ણ, આવરણુ રહિત, વ્યાઘાત રહિત, વિશુદ્ધ, લેાકાલેાકપ્રકાશક કેવળજ્ઞાન-દર્શન ઉપાર્જ, ચાત્ સર્વ અઘાતિકના પણુ અંત કરીને જીવ અકર્મા–સંપૂર્ણ કર્મ થી મુક્ત થાય.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૧]
શાસ્ત્ર શબ્દના અર્થ વ્યાકરણવેત્તાએ રાસૢ ધાતુ ‘અનુશાસન ’ અર્થ વાળે ગણ્યા છે અને ત્રૈ ધાતુ સર્વ શબ્દવેત્તાએએ ‘ પાલન ’ અર્થમાં નિશ્ચિત કર્યો છે.
જેથી રાગ-દ્વેષવડે ઉદ્ધત ચિત્તવાળા જીવાને સદ્ધર્મને વિષે સારી રીતે અનુશાસન કરે છે અને દુ:ખથકી સારી રીતે મચાવી લે છે તેથી તેને સતપુરુષ શાસ્ત્ર કહે છે.
અનુશાસન કરવાનું સામર્થ્ય અને નિર્દોષ એવા રક્ષણ કરવાના મળથી જે યુક્ત હાય તે જ શાસ્ત્ર કહેવાય છે અને ઉક્ત શાસ્ત્ર સર્વજ્ઞનાં વચનરૂપ જ હાઇ શકે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૨ ]