________________
[ ૨૪૪ ]
શ્રી કપૂરવિજયજી ૩૦. સ્વાધીનપણે ધર્મસાધન કરી લેનારને પરાધીનતા વેઠવી પડતી નથી.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૮૮]
કલ્યાણુંથીને ભવિષ્યના સ્થાયી મકાન માટે ૧. પ્રાપ્ત સઘળી શક્તિઓને સદુપયેગ કરવો જોઈએ. ૨. અડગ નિઃસ્વાર્થતાને પાયે નાખવો જોઈએ. ૩. રક્ષણકારી પ્રેમની દીવાલો ઊભી કરવી જોઈએ. ૪. પછી નિષ્કલંક પવિત્રતાથી તે મકાનને શણગાર અને ૫. બ્રાતૃભાવ તથા આનંદના વિચારોરૂપી ફનીચર ગોઠવો.
૬. તમારા હિતકાર્યો અને તેનાં સુંદર પરિણામો આવેલાં જોઈ, લેકે તમને અનુસરવા પ્રેરાશે. તમારા ઉપદેશ વગર પણ તેઓ તમારા પગલે ચાલશે અને આ રીતે આડકતરી રીતે તમે તેમના ઉપદેશક થશો.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦]
આદર્શ જીવન, ૧. કઈ પણ પ્રાણને દુઃખ આપીને જીવતા રહેવા કરતાં આ શરીરને છોડી દેવાનું વધારે પસંદ કરવું જોઈએ.
૨. નિ:સ્વાર્થ પ્રેમ એ એક એવી કુંચી છે કે જે મનુષ્યના હદયને અંદરનો દરવાજો ઉઘાડી નાંખે છે અને ત્યાં નજર કરતાં દરેક જાતના પ્રશ્નોને ખુલાસો મળી જાય છે.