________________
[ ૨૪ર ]
શ્રી કરવિજયજી ૧૦. સર્વ વ્રતમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય, સઘળા દાનમાં શ્રેષ્ઠ અભયદાન, તેમ સર્વે ગુણેમાં વિનયગુણ શ્રેષ્ઠ છે.
૧૧. સંતોષથી સ્વસ્થતા-પ્રસન્નતા આવે છે, તેથી ધર્મ સાધી શકાય છે, જેથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
૧૨. “મન જીત્યું તેણે સઘળું જીત્યું” એમ સમજી મનને જીતવા–વશ કરવા બનતું કરવું.
૧૩. મૂર્ખ–કદાગ્રહી-કુપાત્રને શિખામણ આપવી કે બેધ કરે એ નિષ્ફળ જાય છે.
૧૪. જેવી ગતિ તેવી મતિ, ક્રિયા તેવું કર્મ, જે તપ તેવું ફળ, ને જે સંતોષ તેવું સુખ જાણવું.
૧૫. વ્રતભંગ કરીને જીવવા કરતાં વ્રતને અખંડ રાખી મરણ સ્વીકારવું સારું છે.
૧૬. અતિ ઉપાધિવાળા મોહવિકળ જીવને તત્વથી સુખ હેતું નથી.
૧૭. સર્વ વતેમાં બ્રહ્મચર્ય તથા સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મોટું છે તેમ સર્વ મંત્રમાં નવકાર મંત્ર મટે છે.
૧૮. પરસ્ત્રી તરફ ખોટી દષ્ટિ કરવાથી પુન્ય–તેજ ઘટે છે, માટે પરસ્ત્રી તરફ દષ્ટિ કરવી નહીં.
૧૯. હે જીવ! જ્યારે તું શુદ્ધ તત્ત્વ–પરમાર્થને જાણીશ ત્યારે જ તું પરમાર્થથી સુખી થઈશ.
૨૦. સુખદુઃખને સર્જનહાર પોતાને જીવ જ છે, બીજા તે તેમાં કેવળ નિમિત્તરૂપ છે.