________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૨૭ ] ૧૬. કઈ પણ વસ્તુ વગર ચલાવી લેતાં શીખી લેવું. આ દેહને અને મનને જેવી રીતે રાખવા ટેવ પાડીએ તેવી રીતે એ રહેવાને ટેવાઈ જાય છે તેથી કઈ પણ ટેવ પાડતાં પહેલાં હિતાહિતનો અવશ્ય વિચાર કરે. વગરવિચાર્યા એકદમ સાહસ કરીને ખોટી ટેવ પાડવી નહીં, કારણ કે ટેવ પાડ્યા પછી તેને કાઢવી મુશ્કેલ પડે છે. એટલું જ નહીં પણ અવિચારી ટેવો પાડવાથી દેહની, મનની, ધર્મની, ઈજજત–આબરૂની અને પૈસાની ઘણી વાર ફેગટ બરબાદી થાય છે અને પોતે દુર્ગતિને અધિકારી બને છે. એટલા માટે એવી ટેવ પાડતાં પહેલાં હિતાહિતને પૂરતો વિચાર કર-ભૂલવું નહીં.
૧૭. સર્વજ્ઞભાષિત સત્ય ધર્મ પામવો ચિન્તામણિરત્ન સમાન અતિ દુર્લભ છે.
૧૮. ધર્મ સઘળી મનોકામના પૂરી કરીને, અંતે અક્ષય મેક્ષસુખ મેળવી આપે છે.
૧૯. મોક્ષ પામવા માટે ઉત્તમ પાત્રતાની જરૂર છે. First Deserve and then Desire:–પ્રથમ પાત્રતા મેળવે અને પછી તેને પામવા ઈછા કરો.
૨૦. પાત્રતા પામેલ પુરુષ, યોગ્ય પુરુષાર્થ વડે ઈચ્છિત વસ્તુને પામી શકે છે.
૨૧. પાત્રતા પામ્યા છતાં, તથાવિધ પુરુષાતન પ્રમુખ યોગ્ય સાધનસામગ્રીને સુગ મેળવ્યા વગર, પવિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી.
૨૨. અક્ષુદ્રતા-ગંભીરતા, શરીર સુઘડતા, સેમ્યતા, લેક