________________
[૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી ૧૨. વીતરાગની એકાન્ત હિતદાયી આજ્ઞાને અનુસરવું એ જ તેને આરાધવાનો ઉપાય છે, તેને યથાશક્તિ અનુસરવાથી તે નિશે સફળ થાય છે.
૧૩. સુવૈદ્યનાં વચનને અનુસરવાથી જેમ વ્યાધિને સમૂળગે નાશ થાય છે, તેમ તેનાં હિતવચનને સદ્ભાવથી આદરતાં અવશ્ય સર્વ દુઃખને અંત આવે છે.
[ જે. ધ, પ્ર. પુ. ૪૬, પૃ. ૧૯૨]
હાલની આપણી સામાજિક સ્થિતિનું નિરાકરણ. - ૧. સામાજિક બાહ્ય સ્થિતિ જે હાલ પ્રગટ થવા પામી છે તેનાં મૂળ કારણે બ્રાતૃભાવની અને દયાની ખામી છે, માટે તે હૃદયના રોગને સુધારવા પ્રયત્ન કરે એટલે તેના કાર્યરૂપે પ્રગટ થયેલી સામાજિક સ્થિતિ સુધરતાં વધારે વખત લાગશે નહીં–તેને જલદી અંત આવશે.
૨. જ્યાં આંતરસ્થિતિ સુધરી એટલે બાઘસ્થિતિ સુધરતા વાર લાગશે નહીં. પ્રથમ તમારી જાતને શુદ્ધ કરે, ત્યારપછી બાહ્ય સંગે સહેજે બદલાશે.
૩. જ્યાં હુંપણું-મિથ્યાભિમાન ગયું ત્યાં સ્વાર્થ ગયે અને સ્વાર્થ ગમે એટલે બધે માર્ગ બહુ સરલ થઈ જશે.
૪. જે પ્રમાણમાં તમે શુદ્ધ થતા જશે તે પ્રમાણમાં તમે સ્વાર્થ ત્યાગથી નિઃસ્વાર્થી બનશે અને આખરે તમે સર્વ સાથે