________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૨૨૫ ]
૫. કેાઈને હલકા કહેવા કરતાં પેાતાની હલકાઈ જોવી અને તેને દૂર કરી દેવી. પરને હલકા કહેવામાં પેાતાની હલકાઈ છે.
૬. આત્મકલ્યાણ સાધતાં-સાધવા જતાં વચ્ચે અંતરાયરૂપે જે કેાઇ માત-પિતા, સ્ત્રી-પુત્રાદિક મેાહવશ આડે આવે તે સહુના વિવેકપૂર્વક ત્યાગ કરવા-તિરસ્કારથી નહીં, પરંતુ પ્રેમથી તેમને વિવેકપૂર્વક સમજાવી લેવા.
૭. દુ:ખના પ્રસંગેામાં અધીરજ કે આકુળતા કરવી નહીં; પરંતુ બહુ જ ધીરજ ધારણ કરી ખરી ખંતથી તેને યાગ્ય પ્રતિકાર કરવા. પ્રસિદ્ધ કહેવત છે કે-Patience and Per• sevearance overcome mountains-ધૈય ( ધીર ) અને ખતભર્યા ઉદ્યોગથી ગમે એવી મેટી આપત્તિઓને પણ ત આવે છે, તેમ જ મનમાની સંપદાને પામી શકાય છે.
૮. ગમે એવા દુ:ખદ પ્રસંગમાં અતિ ઉતાવળ અને અધિરાઇ કરવી તે ઊલટી હાનિકારક નિવડે છે. Haste is Waste એ પ્રસિદ્ધ કહેવત આપણે ખાસ યાદ રાખવા ચેાગ્ય છે. એવે વખતે તે પ્રભુ મહાવીર જેવા સમર્થ આદર્શ સમા મહાપુરુષના પવિત્ર ચરિત્રનું સ્મરણ કરીને, તેમના પુનિત માને અનુસરવા પુરુષાતન ફૈારવવુ.
૯. ગમે તેવાં કષ્ટ આવતાં સજ્જના પેાતાની સજ્જનતા તજતા જ નથી; દુઃખ તેા કેવળ તેમની કસેાટી જ કરે છે, તેથી તેનાથી તે હારી જતા નથી, પણ ઊલટા વધારે સાવધાન બને છે. તેઓ સિહવૃત્તિને જ ધારણ કરે છે, કદાપિ શ્વાનવૃત્તિને ધારણ કરતા જ નથી.
૧૫