________________
[ ૨૨૪ ]
શ્રી કપૂરવિજયજી ટવી જોઈએ કે હું સુખી સ્થિતિમાં ટકી રહે ત્યાં સુધી
તે બને તેટલું તેમનું અન્યનું દુઃખ ફેડું. ૧૩. અન્યના બાળકોને પણ કેળવણી લેવા માટે બને તેટલી
સહાય જરૂર આપવી. ૧૪. બીજાઓએ પણ દરેક જરૂરી પ્રસંગે કેવળ કર્તવ્યભાવનાથી અન્યને એગ્ય સહાય દેવા તત્પર રહેવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૩૮૪ ]
થોડાંએક વચનામૃતે. પ્રભુપ્રીતિ, સિંહવૃત્તિ, સાચી સેવા, નમ્રભાવ ને સાદાઈ એ આપણું
જીવનને સાચે માર્ગે દોરે છે. ૧. જગત તરફ-દુન્યવી દુનિયા તરફ-દુનિયાના માયાવી ભાવે તરફ-પ્રપંચ ને પ્રલોભને તરફ અલક્ષ્ય થાય ત્યારે જ પ્રભુ તરફ લક્ષ્ય થવા પામે.
૨. અન્યની ખામીઓ જેવા પહેલાં આપણી પોતાની ખામીઓ જોઈ–તપાસીને શોધી કાઢવી જોઈએ અને તે ખામીએને દૂર કરી દેવી જોઈએ.
૩. અન્યની નિંદા કરવા કરતાં આપણા પિતાના જ દેશની નિન્દા કરવી.
૪. દયા ને નિઃસ્વાર્થ પ્રેમમાં વધારે કરવું અને નાશવંત વસ્તુઓ ઉપરથી મનને ઉઠાવી લઈ, આત્માના શાશ્વત ગુણે ઉપર મનને સ્થિર–એકાગ્ર કરવું.