________________
[ ૨૩૪ ]
શ્રી કપૂરવિજયજી
૧૧. પરને શિખામણુ દેવામાં કઇક શૂરાપૂરા હોય છે; પેાતાની ભૂલ સમજીને સુધારનાર તેા કાઇક વિરલા જ દેખાય છે.
૧ર. પ્રત્યક્ષ ગુણવાદી છતાં પરાક્ષ નિંદાકારી માણસ શ્વાનની જેમ પરિહરવા ચેાગ્ય છે; કેમકે એમ દ્વિધાભાવ રાખનાર પ્રગટ માયા-મૃષાવાદી જ ઠરે છે. કહેવું કંઇ અને કરવું કંઇ એવા માયા-મૃષાવાદ જેવું એકે પાપ નથી.
૧૩. ધર્મીની જ કૃપાથી સર્વ સંપત્તિ પામ્યા છતાં જે મૂઢ જન તેના જ અનાદર કરે છે તેવા સ્વામીદ્રોહી જીવનું ભલું શી રીતે થઇ શકશે ? ધર્મની અવગણના કદાપિ ન કરવી.
ન
૧૪. ક્ષમાવત, દાનેશ્વરી ને ગુણગ્રાહી એવા સ્વામી જેમ ભાગ્યે જ મળે છે તેમ જ સેવક પણ સર્વાનુકૂળ, શુદ્ધ-ચેાખા અને કાર્યદક્ષ ( કુશળ-ખાહેાશ ) ભાગ્યે જ મળે છે.
૧૫. સારાસારને યથાર્થ સમજનાર ( પરીક્ષક ) સ્વામી મળવા મુશ્કેલ છે તેમજ સેવક પણ આજ્ઞાનુવતી અને સ્મરણુ શીલ મળવા મુશ્કેલ છે.
૧૬. જે રાજા રક્ષણાદિક ગુણવડે પ્રજાનું રજન કરી ન શકે તે કેવળ નામના જ રાજા કહેવાય છે. ખરેા રાજા પ્રજાના દિલનું રંજન નિજગુણવડે કર્યા વગર રહે જ નહીં.
૧૭. કેટલાક સુપુત્રા પેાતાનાં સચ્ચારિત્રથી પેાતાના પિતાથી પણ વધી જાય છે.
૧૮. સત્સંગથી ભવ્ય જીવ ગુણવાન થાય છે અને શુવત ઉપર સહુ અનુરક્ત થાય છે.