________________
લેખ સંગ્રહ : ૨
[ ૨૩૩] સુભાષિત વચનામૃતે. ૧. ગુણસંપાદન કરવાને જ યત્ન કરે. મિથ્યા આડં. બરથી શું વળવાનું છે ?
૨. લાયકાત ધરાવનારને ઈચ્છિત વસ્તુ પુરુષાર્થ કરવાથી મળ્યા વગર રહેતી નથી.
૩. મધ્યસ્થ વૃત્તિવાળાને સર્વત્ર સુખ છે.
૪. જે સર્વ રીતે લેકને સંતોષ પમાડે છે તેને જ લેકપ્રિયતા પ્રાપ્ત થાય છે.
૫. કેવળ દેવ ઉપર જ આધાર–વિશ્વાસ રાખીને પુરુષાર્થ તજી દેવો નહીં.
૬. માબાપને અત્યંત શોકદાયી, મૂર્ખ અને ધર્મહીન છોકરાં “ કપુત “ કહેવાય છે.
૭. ડાહ્યા ને કહ્યાગરાં છોકરાં માબાપને બહુ જ વહાલાં અને આનંદદાયક થાય છે, તેથી જ તેવાં ધમી છોકરાં “સપુત કહેવાય છે.
૮. સુશીલ માણસે કઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં વાસ કર નહીં. એકાંત બૂરી છે.
૯. અણઅવસરનું વચન બોલતાં બૃહસ્પતિ જે પણ અપમાન પામે છે.
૧૦. પોતે જ દૂષિત છતાં સામાને દૂષણ દેવું એના જેવી એકે નાદાની નથી.