________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૨૯ ] આનંદ માને તે પુદ્ગલાનંદી લેખાય, ભવ-સાંસારિક સુખમાં આનંદ પામે તે ભવાભિનંદી લેખાય અને આત્માના સહજ નિરુપાધિક જ્ઞાનાદિક ગુણેમાં આનંદ પામે તે આત્માનંદી લેખાય.
૧૦. આપવું એવું લેવું, વાવવું એવું લણવું. ૧૧. સહુને અભય આપી, અભય મેળવી શકાશે. ૧૨. કેઈને પ્રતિકૂળતા ઉપજે તેવું આચરણ કરવું નહીં. ૧૩. સદગુણી ઉપર પણ દ્વેષ રાખવો-અરુચિ કરવી એ અનંતાનુબંધી ક્રોધ, સદ્ગણુને પણ હલકા પાડવા, તેમનું અપમાન કરવું, સ્વગુણેનો ઉત્કર્ષ કરવો તે અનંતાનુબંધી માન, ગુણેજનેના છતા ગુણે ગોપવવા અને પોતાનામાં અછતા ગુણેનો દેખાવ કરો તે અનંતાનુબંધી માયા અને અન્યની સત્ય માનપ્રતિષ્ઠા સાંખી ન શકવી એટલું જ નહીં પણ બેટી માન-પ્રતિષ્ઠાને લેભ રાખવો તે અનંતાનુબંધી લોભ જાણો.
૧૪. તૃષ્ણા જેવો આકરો વ્યાધિ નથી અને સંતોષ સમાન ઉત્તમ સુખ નથી એ અનુભવગમ્ય છે.
૧૫ ક્ષણવિનાશી આ દેહાદિક પદાર્થો ઉપરની મમતાઆસક્તિ બને તેટલી ઓછી કરવી અને જ્ઞાનાદિક નિજ ગુણોમાં જ મમતા કરવી. આત્મા અને આત્માના ગુણે અવિનાશી-નાશ વગરના છે.
૧૨. “ને મારું” “અહંતા ને મમતા” જ આત્મગુણને દાટ વાળે છે તે યાદ રાખવું.