________________
[ ૨૨૮ ]
શ્રી કપૂરવિજયજી
પ્રિયતા, અક્રૂરતા, પાપભીરુતા, અશઢતા, સુદાક્ષિણ્યતા, લજજાળુતા, દયાળુતા, સમષ્ટિ, મધ્યસ્થતા, ગુણાનુરાગિતા, સત્યપ્રિયતા, સુપક્ષતા, દીર્ઘદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરોપકારરસિકતા અને કાર્યદક્ષતાદિક ઉત્તમ ગુણાના સતત અભ્યાસી, તથાવિધ સાધનસામગ્રી ચેાગે, પવિત્ર ધર્મ – રત્નને પામી શકે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૭૭ ]
મેધવચના.
૧. મનને શુદ્ધ કરવા કાયમ નમસ્કાર મહામત્રને
અખંડ જાપ કરવા.
૨. વિવિધ ઇચ્છા-કામનાના રાધ તે જ તપ અને તે જ વૈરાગ્ય પરિણામે સુખદાયી થાય છે.
૩. જેવી મિત તેવી ગતિ, એટલે ઉદિત મતિ સુધારવી. ૪. આત્મસાધન કરવાની હાથ આવેલી તક ગુમાવવી નહીં. પ. પરના અવગુણુ સામું જોવું નહીં-ગુણ જ લેવા. ૬. નિંદક વગરમૂલ્યે મેલ સાફ કરનાર હેાવાથી ઉપગારી લેખાય.
૭. જેમ બને તેમ શરીરમમતા એછી કરવી અને આપણે આત્મા જ શક્તિરૂપે પરમાત્મા છે એવા અનુભવ શાન્તચિત્તે કરવા.
૮. શાસ્ત્રાદિ ભણવું-ગણવું એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપ જાણવું–અનુભવવુ તે ભાવજ્ઞાન છે.
૯. દેહપુગળમાં કે તેવી બાહ્ય જડ વસ્તુએમાં ખુશી