________________
[ ૨૨૦ ]
શ્રી કરવિજયજી
સધાય તેમ કરવું જોઇએ. તે માટે પ્રથમ એકઠા થઇ એકસ્ત્રીજાના વિચારની આપલે કરવી જોઇએ.
[ રે. . પ્ર. પુ. ૪૧, પૃ. ૪૨૩ ]
જીવનને સરસ ને સફલ કરવા યાગ્ય દિશા–સૂચન
૧. આપણા વિકાસમાં વિઘ્ન કરનાર ખાસ કરીને આપણું અજ્ઞાન જ છે.
૨. જેટલા પ્રમાણમાં પરમાત્મ તત્ત્વ તરફ આપણું હૃદય ખુલ્લુ રખાય છે તેટલા પ્રમાણમાં આપણે તેની નજદીકમાં આવીએ છીએ.
૩. ધાર્મિકતામાં ખરું જીવન છે, ને તેને અનુસરવામાં અલાભ જેવું છે જ નહીં.
૪, સંપૂર્ણ આરેાગ્ય એ સ્વાભાવિક સ્થિતિ છે, અને અનારાગ્ય એ વિભાવિક છે.
૫. રોગના ઉપાય કરવા કરતાં આવતા રોગથી બચવું અધિક હિતકર છે.
૬. વિરાધી વિચારાની ભાવના આપી ઉન્નતિની આડે આવે છે. ૭. આનંદી સ્વભાવ એ ઐષધનું કામ સારે છે.
૮. સર્વના હિતમાં આપણું ખરું હિત સમાયેલું જાણી સહુના હિતચિંતન સાથે દુ:ખી જનાના દુ:ખનેા ઉચ્છેદ થાય તેમ પ્રવવું.