________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧૯ ] બારિકીથી શોધી કાઢી, તે મટાડવા બને તેટલે જાતે પ્રયત્ન કરે અને બીજા સહદય સાધુજનેને તેમ જ ગૃહસ્થજનેને તેમ કરવા સમજાવવા.
૨. કૉન્ફરન્સના અધિવેશન (બેઠક) પ્રસંગે જે કે ચાલુ કઢંગી સ્થિતિમાં સુધારો થવા પામે એવા શુભાશયથી કેટલાક ઠરાવ બહુમતિથી પાસ કરવામાં આવે છે, પરંતુ તેને પૂરો અમલ થાય તેવું જવાબદાર પ્રતિનિધિ તત્વ તેમાં આમેજ કરવાની અને તેવી પૂરતી તપાસ રાખવાને પ્રબંધ કરવાની ખાસ જરૂર છે.
૩. કૅન્ફરન્સ કે સ્થાનિક સંઘે જે કંઈ હિતશાસન ફરમાવ્યું હોય તેને ચીવટથી અમલ કરવા તેને દરેક પ્રતિનિધિ કે સભ્ય પિતે બંધાયેલે છે, એવું સમજાવવું જોઈએ.
૪. બીજી સમાજમાં આપણે હલકા પડીએ-દેખાઈએ એવી દરેકે દરેક બદી શોધી તેને દૂર કરવા માટે બનતું મથન કરવાની ખાસ લાગણી જાગવી જોઈએ.
૫. આપણું ઉન્નતિને ઉપાય ગમે તેણે સમજપૂર્વક સહુને આદરવા ઉપસ્થિત કર્યો હોય તે તેને જોઈએ તેટલો ટેકો આપી વધાવી લેવો જોઈએ.
૬. મીશનરીઓ ને બીજા કઈક સમાજે કઈ રીતે કામ કરી તેમાં સફળતા મેળવતા જાય છે તેને વિચારપૂર્વક અભ્યાસ સુસાધુઓ, સાધ્વીઓ તેમ જ સદ્ગહસ્થાએ કરવો જોઈએ.
૭. આવા પવિત્ર હેતુ ને આશયથી સુસાધુ-સાધ્વીઓ તેમ જ ગૃહસ્થોએ તેમાં સક્રિય ભાગ લઈ આપણું સર્વદેશી ઉન્નતિ