________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧૫ ] સરી ચાલવાથી યુવક બંધુઓ! તમારામાં અધિકાધિક સદ્દગુણે આવશે, પણ તેમનાથી અતડા ને અતડા રહેવાથી તે તમે તેવા સદ્દગુણ મેળવવા ભાગ્યે જ બનશે.
શુદ્ધ દેવ, ગુરુ ને સંધ–સાધમી જનની અતિ આદરપૂર્વક સેવા–ભક્તિ કરવાથી, તેમની સ્તુતિ-પ્રશંસા કરવાથી તેમના જેવા ઉત્તમ ગુણે તમારામાં સહેજે સંક્રાન્ત થઈ શકશે. જેમ બને તેમ દઢ ટેકથી શ્રાવક ગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતાનું યથાવિધિ પાલન કરવા ઉજમાળ થાઓ. કુશ્રદ્ધા કે અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ–મેલને સર્વથા ત્યાગ કરે. ભક્ષ્યાભઢ્ય, પયાપેય, ગમ્યાગમ, હિતાહિતનો સમગ્ર પ્રકારે વિવેક રાખતાં શિખો. બાવીશ અભક્ષ્ય ને બત્રીશ અનંતકાયને સમજીને તેને તજો. વિદેશી દવા ને અભક્ષ્ય આસ (પીણાં) તજે. પરસ્ત્રીગમન ને વેશ્યાગમન તજે તથા ચેરી, જુગાર ને સટ્ટાને છંદ(ટેવ) તજે. તમે પોતે ઉત્તમ જ્ઞાની ને સુશીલ જનેને સમાગમ કરી ખરા શ્રાવક એગ્ય ગુણ મેળવો. જ્યાં સુધી તમે પોતે ધર્મપ્રાપ્તિને યોગ્ય પાત્રતા મેળવવામાં પ્રમાદ કરશે ત્યાં સુધી તમારી જાતને સુધારી શકશે નહીં, તે પછી બીજા તમારા મિત્ર-સ્વજનાદિકને ક્યાંથી સુધારી શકશો? સ્વદેશ, સમાજ ને શાસનની સેવા કરવાની તમને હોંશ હશે જ, પણ તેને સફળ કરવા માટે ઉપર જે દિશા–માર્ગ બતાવેલ છે તેને ખૂબ લક્ષ્યપૂર્વક સમજી, આદરવા સદા ઉત્સુક બનો!
[જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૭૮.]