________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૧ ] સાધુ જનનું તેમ જ તેઓના કહેલા પવિત્ર ધર્મનું શુદ્ધ મનથી શરણ સ્વીકારે, તેમનામાં જ અનન્ય એકતાર શ્રદ્ધા રાખે, તેમના પવિત્ર ગુણનું સદા ય ચિંતવન કરો અને તેવા પવિત્ર ગુણે પ્રાપ્ત કરવા તમે લાયક બને, તેવું શુભ આચરણ સેવતાં રહો. સારું કામ કરવામાં વિલંબ-વાયદો ન કરો. કાલ કરવું હોય તે આજ કરે. એક ઘડીને પણ વિશ્વાસ રાખી ન રહો, રખે મનની બધી ગોઠવણ મનમાં જ રહી જાય, માટે ચેત–સમજે.
ત્રીજી સંસાર ભાવના
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) તિર્યંચાદિ નિગદ નારકીતણી, જે નિ યાનિ રહ્યાં,
જીવે દુ:ખ અનેક દુગતિતણું, કર્મ પ્રભાવે લહ્યાં; યા સંગ વિયોગ રેગ બહુધા, યા જન્મ જન્મ દુઃખી, તે સંસાર અસાર જાણી ઈહવા, જે એ તજે તે સુખી. ૧૩.
(ઇન્દ્રવજા વૃત્ત) જે હીન તે ઉત્તમ જાતિ જાયે, જે ઉચ્ચ તે મધ્યમ જાતિ થાય; જગ્યું મેક્ષ મેતાર્ય મુનીંદ્ર જાયે,
હું મંગુસૂરિ પુર યક્ષ થાય. ૧૪ કર્મવશ જીવ તિર્યંચાદિ નીચી ગતિનાં તેમ જ નરક અને નિગોદ સંબંધી કમકમાટી ઉપજાવે એવાં અઘોર દુઃખ વારંવાર સહન કરત સંસારની ચારે ગતિ સંબંધી ચોરાશી લાખ છવાયેનિમાં વારંવાર ભમતે-પરિભ્રમણ કરતો રહે છે, એટલે તેમાં વખતોવખત સંગ, વિયેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ તથા જન્મ, જરા, મરણ સંબંધી અનંત દુ:ખ-દાવાનળમાં તે