________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
મૂળ-ગ્રંથકારની ગુરુપરંપરા પ્રશસ્તિ, ( शार्दूलविक्रीडितं वृत्तम् )
आसीत्सद्गुणसिंधुपार्वणशशी श्रीमत्तपागच्छपः । सूरिः श्रीविजयप्रभाभिधगुरुर्बुद्धया जितस्वर्गुरुः ॥ तत्पट्टोदय भूधरो विजयते भास्वानिवोद्यत्प्रभः । सूरिश्रीविजयादिरत्नसुगुरुर्विद्वज्जनानंदभूः ॥ २ ॥
સદ્ગુણુરૂપ સમુદ્રને ઉલ્લાસ કરવામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન અને શ્રીમત્ તપાગચ્છમાં શેશભા સમાન એવા વિજયપ્રભ નામના સૂરિ થયા કે જેણે બુદ્ધિમાં બૃહસ્પતિને પણ જીત્યા છે, તેમની પાટરૂપ ઉદયાચળ પર્વતને વિષે ચળકતી છે કાંતિ જેની એવા સૂર્ય સમાન અને પંડિતજનને આનદુ આપનાર સુગુરુ શ્રી વિજયરત્નસૂરિ થયા તે જય પામેા.
विख्यातास्तद्राज्ये, प्राज्ञाः श्रीशान्तिविमलनामानः । तत्सोदरा बभूवुः, प्राज्ञाः श्रीकनकविमलाख्याः ॥ ३ ॥
તે વિજયરત્નસૂરિના રાજ્યને વિષે પ્રખ્યાત અને બુદ્ધિમાન એવા શ્રી શાંતિવિમળ નામના સુગુરુ થયા. તેમના ગુરુભાઈ શ્રી કનકવિમળ નામના મહા બુદ્ધિમાન થયા.
तेषामुभौ विनेयौ, विद्वान् कल्याणविमल इत्याख्यः । तत्सोदरो द्वितीयः, केसरविमलाभिधोऽवरजः ॥ ४ ॥
તે કનકવિમળજીને એ શિષ્ય થયા. તેમાં પ્રથમ શિષ્ય શ્રી કલ્યાણવિમળ નામના વિદ્વાન થયા અને બીજા તેમના નાના ગુરુભાઇ શ્રી કેશરવિમળ નામના થયા.