________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૦૭ ] જે પ્રથમ સુકૃત્ય કર્યા હોય, દાનાદિક ધર્મકરણ ઉલ્લાસથી કરી હોય, દુખી ઉપર અનુકંપા આણી અર્થ—દ્રવ્ય ઉપરને મેહ તજી તેનું દુ:ખ નિવારણ કર્યું હોય, અતિથિસાધુ-સાધ્વી પ્રમુખ ધર્માત્માઓની યાચિત સેવા-ભક્તિ કરી હોય, પૂર્ણ પ્રેમથી સ્વધમીવાત્સલ્ય કર્યું હોય, પવિત્ર તીર્થોની યાત્રા પૂજા કરી હોય, દેવગુરુનાં બહુમાન કર્યા હોય, ગુણીજનોને એગ્ય સત્કાર કર્યો હોય, શાસ્ત્ર–આગમની સેવા કરી હોય, બાળ, તપસ્વી, વૃદ્ધાદિકની સેવા-સુશ્રુષા-વૈયાવચભકિત કરી હોય, ટૂંકામાં બની શકે એટલો પૈસાને લાહ પૈસે ખચીને લીધે હોય તો તે રીતે પૈસાનો સદુપયોગ કરનારને સહેજે-અનાયાસે પુષ્કળ દ્રવ્ય–અર્થની પ્રાપ્તિ થાય છે.
પુન્યાનુબંધી પુ વડે લક્ષમી સાથે સરસ્વતીની પણ કૃપા થાય છે. એટલે એથી જ્ઞાનસંપદા–સદબુદ્ધિ-ન્યાયબુદ્ધિ-ધર્મબુદ્ધિઆત્મકલ્યાણબુદ્ધિ સ્વભાવિક રીતે આવે છે અને ધારેલો અર્થ સિદ્ધ થાય છે. મનોરથ ફળે છે. ધર્મ અને અર્થ-વ્યવહારનું પાલન રૂડી રીતે થાય છે. પરોપકારના રૂડાં કામ થઈ શકે છે અને સુયશ-આબરૂ વધે છે.
ઉપરોકત રીતે ન્યાય-નીતિ અને પ્રમાણિકતાથી ઉપાર્જન કરેલાં દ્રવ્યનો સદુપયેગ કરવાથી ધર્મ–અર્થ–કામ-મનની અભિલાષાની સહેજે સિદ્ધિ થાય છે. વળી લમીની અસ્થિરતાચપળતા સમજી તેના ઉપરને મેહ જબ કુમારની જેમ તજી ઉત્તમ ક્ષેત્રમાં તેને સદ્વ્યય કરી, સંયમ રહી સાવધાનપણે તેનું સેવન કરે છે તે મોક્ષલક્ષ્મીને પણ વરી શકે છે, એમ સમજી અર્થ ઉપર મોહ ઉતારી તેને સદ્વ્યય કરે.