________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૭ ] આત્મા જ પરમ પવિત્ર સમજવા. ખરા જ્ઞાની વિવેકી સાધુમહાત્માઓ તે ઉપરોક્ત ભાવસ્નાન કરીને જ સદા ય પિતાના આત્માને પવિત્ર કરે છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહઅસંગતાદિક સદાચરણવડે જ ભાવ સ્નાન કર્યું ગણાય છે, તે સિવાય તે માછલાંની પેઠે દિનરાત જળમાં નિમજન કરવા માત્રથી કશું વળતું નથી. શરીર–મમતા અને હિંસાદિક પાપાચરણવડે તો આમાં અધિકાધિક મલિનતા જ પામીને અધગતિ-અવનતિને પ્રાપ્ત થાય છે, એમ યથાર્થ સમજી સનત્કુમાર ચક્રવતીએ જેમ કાયાની માયા તજી, વૈરાગ્ય પામીને આત્મહિત સાધ્યું તેમ ભવ્યાત્માઓએ તે પ્રમાણે કરવું ઘટે છે.
સાતમી આશ્રવ ભાવના
(માલિની વૃત્ત) ઇહ અવિરતિ-મિથ્યા, ગ પાપાદિ સાધે, ઇણ ઉણ ભવ જીવા, આશ્રવે કર્મ બાંધે; કરમ જનક જે તે, આશ્રવા જે ન રૂંધે, સમર સમર આત્મા, સંવરી સો પ્રબુધે. ૨૧,
(ઇદ્રવજા વૃત્ત) જે કંડરીકે વ્રત છોડી દીધું, ભાઈતણું તે વળી રાજ્ય લીધું; તે દુખ પામે નરકે ઘણેરા, તે હેતુ એ આશ્રવ દોષકેરા. ૨૨