________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮ ] સ્વજન-કુટુંબી વિગેરે આપણને અવસાન સમયે કયાંથી સહાય આપી આપણું રક્ષણ કરી શકે ? ન જ કરી શકે.
એ ઉપરથી એ નિશ્ચય કરવાને છે કે આપણું આત્માથી જુદા જે કઈ દેહ, લક્ષ્મી, સ્વજન, મિત્રાદિકને સંગ વિગ બને તે બધા આત્માથી ન્યારા-જુદા હોવાથી તે તે પ્રસંગે તે સંબંધી હર્ષ કે ખેદ કરવો ઉચિત નથી. તેમ છતાં બની શકે તે તે તે પ્રસંગમાંથી કંઈ પણ બોધદાયક ગુણ મેળવી, વૈરાગ્ય જગાવી, આપણા આત્માનું અધિક હિત થાય તેમ કરી લેવું તે ઉચિત છે.
જે સંયોગ-સંબંધ શરીર અને વસ્ત્રને છે તે જ સંગ-સંબંધ આત્મા અને શરીરને જાણવો. જેમ વસ્ત્ર જીર્ણ થતાં કે ફાટી જતાં કે તેને નાશ થતાં શરીર જેવું હતું તેવું ને તેવું જ રહે છે–વસ્ત્રના નાશથી શરીરને નાશ થતો નથી તેમ શરીર જીર્ણ થતાં, રોગીષ્ટ થતાં કે નાશ પામતા છતાં પણ આમા જે ને તે જ-ગમે તેવી ગતિ-સ્થિતિમાં કાયમ રહે છે. આ રીતે જ્યારે દેહથી આત્મા જુદો જ સિદ્ધ થાય છે ત્યારે દેહનો વિગ થતાં ખેદ કે શોક કરે તે સુજ્ઞજનોને ઉચિત નથી. મેહ-માયાથી કે મમતાથી તે ખેદ કે શેક કરી જીવ ફેગટ ચીકણું કર્મ બાંધી દુઃખી થાય છે, માટે આત્માનું અધિક હિત થાય તેમ કરવા દેહાદિક ક્ષણિક વસ્તુ ઉપરથી મમતા ત–ઓછી કરી યથાશક્તિ તપ-જપ-સંયમનું સેવન કરવું જ ઉચિત છે, એમ સમજી મુકેશળ મુનિએ શરીર પરની મમતા તજી, વિકરાળ વાઘણને પણ પ્રાંતે જાતિસ્મરણ–પૂર્વક બંધ થાય તેવું વર્તન કર્યું.