________________
[ ૧૯૪ ]
શ્રી કપૂરવિજયજી
ચારિત્રરત્ન પામવું દ ભ છે, તે પણ ભાગ્યયેાગે પામ્યા છતાં ઇન્દ્રિય, કષાય, ગારવ અને પરિષહાર્દિક શત્રુગ વચ્ચે દઢ વૈરાગ્યબળ ધારણ કરી તેનું મક્કમપણે પાલન-આરાધન કરવું અત્યંત કઠણ છે.
ઉપર પ્રમાણેની સર્વ પ્રકારની મુશ્કેલીએ અને કઠીણાઇએ છતાં કાઇ ધીર, વીર-વિરલા ઉત્તમ પ્રકારની ક્ષમા-સમતા, મૃદુતા-નમ્રતા, ઋજુતા-સરલતા અને સંતેાષની સહાયવડે ઉક્ત ચારિત્રનું યથાર્થ આરાધન કરી શકે છે, જો કે આવી ઊંચી સ્થિતિએ ક્રમસર અભ્યાસવડે ચઢી શકાય છે, તે પણ કવચિત્ ભરત કે ઈલાચીપુત્રની જેમ એકાએક ગૃહસ્થપણામાં જ કૈવલ્ય પન્તની અતિ ઊંચી હદ પ્રાપ્ત થઇ જાય તે તેમાં તેમણે પૂર્વભવમાં કરેલા તથાપ્રકારના પુરુષાર્થ - ભરેલેા અભ્યાસ જ કારણભૂત સમજવા. એવા એવા દાખલા સાંભળી ધર્મ સાધનમાં પ્રમાદ કરવાના નથી, પણ ઊલટા અધિક ઉમંગ લાવી સાવધાનપણે આમહિતસાધન કરવું ઘટે છે, કેમકે જોઇએ એવી સઘળી શુભ સામગ્રી તથાપ્રકારના પ્રખળ પુન્ય વગર વારંવાર મળવી મુશ્કેલ છે, તેથી જે કાલે કરવાનુ હાય તે આજે જ કરી લેવું.
મારમી ધમ ભાવના
( સ્વાગતા વૃત્ત )
ધર્મ ભાવન લહી ભવ ભાવા, રાય સંપ્રતિ પરે સુખ પાવેા.
૨૭
ઉપર કહ્યા પ્રમાણે રત્નત્રયીરૂપ ધર્મ, અથવા ક્ષમાદિક દર્શાવધ યતિધર્મ, અથવા દાન, શીલ, તપ, ભાવનારૂપ ધર્મ,