________________
[ ૧૯૬ ]
૬. રાગદ્વેષ વિષે.
રાગ-દ્વેષ દૂર કરવા હિતાપદેશ. ( ઇંદ્રવજ્રાવૃત્ત )
રાગે ન રચે ભવબંધ જાણી, જે જાણ તે રાગવો અનાણી; ગારીતણે રાગ મહેશ રાગી, અર્ધાંગ દેવા નિજ બુદ્ધિ જાગી. રે જીવ ! તું દ્વેષ મને મ આણે, વિદ્વેષ સંસાર નિદાન જાણે; સાસુ નણંદે મળી ફૂડ કીધું, જાડું' સુભદ્રા શિર આળ દીધું,
શ્રી કપૂરવિજયજી
૨૮
૨૯
આત્માને રંગી દે, રૂપાંતર કરી દે, વિકારી બનાવી દે અને તેને વિભાવવાહી કરીને સકલેશ ઉપાવે તેનું નામ રાગ, એવા દુષ્ટ રાગને ભવભ્રમણકારી કર્મબંધનનું મુખ્ય કારણુ જાણીને અહે। ભવ્યાત્માએ ! તમે તેમાં રાચા નહિ. તેને નિવારવા બનતા પ્રયત્ન કરે. તેને જય કરવા માટે જેમણે તેના સથા જય કર્યા છે એવા પરમકૃપાળુ અને સમર્થ શ્રી જિનેશ્વરદેવાનું શરણુ ગ્રહેા. વીતરાગદેવના દૃઢ આલબનથી તમે પણ દુષ્ટ રાગના જય કરવા સમર્થ બની શકશે।.
શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના શુદ્ધ પવિત્ર નિ:સ્વાર્થ રાગવડે અશુદ્ધ અને મલિન એવા સ્વાથી રાગને તમે પરાજય કરી શકશેા. દુષ્ટ રાગને જીતવાના એ સરલ ઉપાય છે. તેમ છતાં જે કોઈ મેહાતુર બની દુષ્ટ સ્વાથી રાગને વશ