________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૦૧ ] ૯. વૈરાગ્ય વિષે. નિર્વેદ-વૈરાગ્ય વર્ણનાધિકાર.
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) જે બંધુજન કર્મબંધન જિશા ભેગા ભુજંગા ગિણે, જાણું તે વિષ સારિખી વિષયતા સંસારતા જે હણે; જે સંસાર અસાર હેતુ જનને સંસાર ભાવે હવે, ભાવ તેહ વિરાગવંત જનને વૈરાગ્યતા દાખવે. ૩૪
(વસંતતિલકા વૃત્ત ) નિવેદ તે પ્રબળ દુર્ભર બંદિખાણે, તે છોડવા મન ઘરે બુધ તેહ જાણે, નિર્વેદથી તજિય રાજ વિવેક લીધે,
યેગીંદ્ર ભર્તુહરિ સંયમ યોગ સીધે. ૩૫ સંસારમાં જકડી રાખનારા સ્વાથી સ્વજન કુટુંબીઓને જે કર્મબંધનના હેતુરૂપ સમજે છે, વિષયભેગેને જે ભુજંગ જેવા ભયંકર-રેગવિકારજનક ગણે છે, અને વિષયસુખને વિષ જેવા દુઃખદાયક લેખે છે તેવા ખરા વૈરાગ્યવંત જન જ આ સાંસારિક દુઃખને અંત કરી શકે છે.
આ સંસારના જે જે અસાર ક્ષણિક એવા જડ પદાર્થો મેહવિકળ-મૂઢ જનને સંસાર પરિભ્રમણ–જન્મમરણના હેતુરૂપ થાય છે તે જ અસાર પદાર્થો વૈરાગ્યવંત જનને વૈરાગ્ય ભાવનું પોષણ કરનાર થાય છે. તે તે ક્ષણિક-જોતજોતામાં નાશ પામી જનારા, અશુચિ–અનંતા જીવોએ પ્રથમ ભેગવી