________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૯૫ ] જેમણે રાગ, દ્વેષ અને મેહાદિક દેોષમાત્રને જીતી લીધા છે એવા જિનેશ્વરાએ જગતના હિત--શ્રેય અર્થે જ સારી રીતે સ્પષ્ટતાપૂર્વક સહુ પદા સમક્ષ સ્વાનુભવથી કહી અતાવ્યા છે. તે સર્વોત્કૃષ્ટ અહિંસા, સંયમ અને તપ લક્ષણુ મહામંગળકારી ધર્મ-સાધનમાં જે ભવ્યાત્માએ સાવધાનતાથી પ્રયત્નશીલ રહે છે તે સુખેસમાધે આ ભવસાગરને પાર પામે છે.
સર્વોત્કૃષ્ટ અહિંસાદિક મહાત્રના પાળવારૂપ સાધુધર્મ પામવા જેટલી ચૈાગ્યતા અને સામર્થ્ય જેનામાં ન હૈાય તેવા મદ અધિકારી જીવા માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ ગૃહસ્થધર્મ પણ અતાન્યેા છે. શુદ્ધ તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યક્ પૂર્વક સેવન કરાતા સાધુધર્મ કે ગૃહસ્થધ આત્મકલ્યાણને માટે થાય છે. મિથ્યાત્વના ત્યાગ કરવાથી અને માર્ગાનુસારી થવાથી પ્રાય: સદ્ગુરુની કૃપાવડે સમ્યક્ત્વના ઉદય થવા પામે છે. સમકિત સહિત કરવામાં આવતી હિતકરણી યથાર્થ ફળદાયક બની શકે છે; તેથી ગમે તેટલે સ્વાર્થ ત્યાગ કરીને પણ સમિનરત્ન પ્રાપ્ત કરી લેવા જ્ઞાની પુરુષા ભાર દઇને કહે છે તે યથા જ છે.
તત્ત્વ અશ્રદ્ધા અથવા અતત્ત્વ શ્રદ્ધારૂપ મિથ્યાત્વ જયાં સુધી કુસંગ ન તજાય ત્યાં સુધી ટળે નહિ, તેથી પ્રથમ સ્વહિતાથી એ કુગુરુ-કુસગના ત્યાગ કરી સદ્ગુરુના જ સંગ કરવેા જોઇએ. જેની રહેણીકહેણી નિર્દોષ-ઉત્તમ હોય એને કશી લાલચ વગરના સદ્ગુરુનું જ શરણુ હિતકારી છે, સર્વજ્ઞ વીતરાગ સવોત્કૃષ્ટ યેગ્યતાવાળા હેાવાથી તે જગદ્ગુરુ છે. તેમનું શરણુ સદા કતવ્ય છે.