________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી શ્રી સિદ્ધસેન ગુરરાય ગંભીર વાણું, સંતોષતા જિહ તણું જગમાંહી જાણી; ભાવે કરીજિહ ભણી સુણી વાણી રગે,
જે રાય વિક્રમ ધરી જિન આણ અંગે. ૩૧ જેના વડે સારી રીતે સંતેષ-તૃપ્તિજનિત સુખ બન્યું બન્યું રહે એનું નામ સંતોષ. એવા સંતોષી જને પાસે પુણીયા શ્રાવકની પેઠે અલ્પ દ્રવ્ય હોય તે પણ તે જેવું સુખ પામે છે તેવું તે શું પણ તેના કોડમાં ભાગનું સુખ પણ મમણ શેઠ જેવા દ્રવ્યલુબ્ધ જનને પ્રાપ્ત થઈ શકતું નથી. એટલા જ માટે રાજા અને રંકને જે સમભાવથી જુએ છે-તેમના તરફ રાગ-દ્વેષ રહિત મધ્યસ્થભાવે નિઃસ્પૃહતાથી જે વર્તે છે એવા ત્યાગી સંતોષી-નિ:સ્પૃહી જનોને તેમના નિર્મળ આદર્શ જીવનને લહીને જ સહુ કઈ બહુમાનની નજરથી જુએ છે, તેમના તરફ અત્યંત પ્રેમ રાખે છે અને પૂજ્યભાવ બતાવે છે; એટલું જ નહિ પણ તેમનું નિર્દોષ ઉજજવળ જીવન જઈ બને તેટલું તેનું અનુકરણ પણ કરે છે અને સાદા નિર્દોષ જીવનવડે પિતે પણ સુખી થાય છે.
સંતોષ-નિ:સ્પૃહતાદિક ગુણવડે જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ પામેલા ગુરુ મહારાજ શ્રી સિદ્ધસેન દિવાકરની અતિ અર્થ– ગંભીર-ઉદાર ઉપદેશ–વાણી અતિ આદરપૂર્વક શ્રવણે સુણીને શ્રી વિક્રમાદિત્યે પોતાના હૃદયમાં પરિણમાવી, તેથી તે જિનાજ્ઞાસિક થયો. તેને સત્ય પારમાર્થિક વીતરાગોક્ત ધર્મવચન યાં અને તે પચ્યાં.
તાત્પર્ય કે ત્યાગી નિઃસ્પૃહી મહાત્મા પુરુષના નિર્દોષ