________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૯ ] આઠમી સંવર ભાવના
| (ઇંદ્રવજા વૃત્ત) જે સર્વથા આશ્રવને નિરુધે, તે સંવરી સંવર ભાવ સાધે; તે ભાવ વંદ ગુરુ વજસ્વામી,
જેણે ત્રિયા કચન કેડી વામી. ૨૩ આશ્રવનો નિષેધ કરે–રોકવું તેનું નામ સંવર છે. તેના સત્તાવન ભેદ કહ્યા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન-માતાનું પાલન કરવું, ક્ષુધા તૃષાદિ બાવીશ પરિષોને સમ્યફ પ્રકારે દીનતા રહિત-અદીનતાએ સમભાવથી સહન કરવા, ક્ષમા, મૃદુતા, સરલતાદિક દશવિધ યતિધર્મનું યથાવિધિ પાલન કરવું, અનિત્યાદિક બાર ભાવના (ઉપલક્ષણથી મિત્રી, પ્રમદ, કરુણા અને માધ્યસ્થતા એ ચાર ભાવના તથા પાંચ મહાવ્રતની પચીશ ભાવના) દિન પ્રત્યે ભાવવી, તથા સામાયિક, છેદો પસ્થાનિયાદિક પાંચ ચારિત્રની યથાયોગ્ય આરાધના કરવી. જે ઉપર કહ્યા તે સત્તાવન પ્રકારના સંવરવડે સર્વથા આશ્રવનો નિરોધ કરે છે–રોકે છે તે મહાત્મા અનુક્રમે સર્વોત્કૃષ્ટ સંવરને પામી શકે છે.
મૂળ તો આત્મા સ્ફટિક રત્ન જેવો નિર્મળ નિષ્કષાયી છે, પરંતુ તે વિવિધ આશ્રદ્ધારા કર્મસંચયવડે મલિન થયેલ દેખાય છે, સંવરવડે એ મલિનતા અટકાવી શકાય છે અને તીવ્ર તપના પ્રભાવે સ્ફટિક જેવું નિર્મલ-ઉજજવળ સ્વરૂપ પ્રગટ કરી શકાય છે. પછી તે સંશુદ્ધ થયેલું આત્મસ્વરૂપ કદાપિ મલિનતાને પામી શકતું નથી. જેમ સુવર્ણમાં રહેલી મલિનતા