________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૩ ]
( ઉપજાતિવૃત્ત )
એ એકલા જીવ કુટુંબ યાગે, સુખી દુઃખી તે તસ વિપ્રયાગે; સ્ત્રી હાથ દેખી વલા અકેલા, નમિ પ્રબુધ્ધા તિથી વહેલા. ૧૬
જીવ જેવી સારી-નરસી, ભલી-ભૂંડી કરણી કરે છે તેવું તેનું સારું-નરસું ફળ પણ તેને ભેગવવું પડે છે. જો તે શુભ ધર્મકરણી કરે તેા તે પુન્યફળને ભાગવવા સ્વર્ગનાં સુખ પામે છે અને જો તે દૃષ્કૃત્ય કરે તે તે પાપ-ફળને ભાગવવા નરકાદિકના દુ:ખ પામે છે. જેવી શુભાશુભ કરણી કરે છે તેવું સુખ-દુઃખ તેને જ ભાગવવાના પ્રસંગ આવે છે, એ વાત સહેજે સમજાય એવી છે.
અહીં જે મનુષ્યેા સારાં પરોપકારનાં કામ કરે છે તેની તથા જેના વિચાર, વાણી અને આચાર પવિત્ર હાય છે તેની લેાકમાં પુષ્કળ પ્રશંસા થાય છે અને જેના આચરણ અવળાં હાય છે તેની પુષ્કળ નિંદા થાય છે. આને જો પ્રગટ રોકડું તાત્કાલિક ફળ માનવામાં આવતુ હાય તા તે ભવિષ્યમાં થનાર મુખ્ય મેાટા ફળની અપેક્ષાએ કેવળ ગાણુવા અલ્પ સમજવાનુ છે. જેવા ફળની તમારે ચાહના હાય તેવુ શુભ કે અશુભ આચરણ કરતાં તમારે એકલાએ જ સંભાળ રાખવાની છે, કેમકે તેનુ તેવું ફળ તમારે જ ભાગવવું પડે એમ છે, ખેાટી મમતા રાખવાથી કશું વળે એમ નથી, કોઇની સીફારસ લગાવયાથી કામ આવે એમ નથી.