________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૯ ] જેવા સુંદર જણાતાં છતાં તે બધાં વિનાશવાળા છે. તેમની શેભા કારમી-કાયમ નહિ ટકી રહેનારી છે. વળી જળને ઠેકાણે સ્થળ અને સ્થળને ઠેકાણે જળ થઈ જાય છે. સુંદર ઘટાદાર વૃક્ષે પણ એક વખતે શાભા વગરના બની રહે છે અને ડુંગર પણ છેટેથી રળીયામણું દેખાય છે. એવી જ રીતે આ શરીરાદિકની ઉપરની શોભા પણ કારમી–જોતજોતામાં જતી રહેનારી છે, એમ સમજી ભરત ચક્રવતીએ વૈરાગ્યને જાગ્રત કરી મેક્ષમાર્ગને સ્વીકાર કર્યો, તેમ સુજ્ઞજનોએ પણ કાયાની માયા તજી, હિતકાર્યમાં મનને જોડવું જોઈએ.
જેની સાથે આપણે નિકટને સંબંધ છે, જેને માટે જીવ કેટલીય જાતના પાપારંભ કરી દિન-રાત ચિંતા કર્યા કરે છે અને જોતજોતામાં કાળ જેને કેળી કરી જાય છે તે કાયા જ ગમે તેટલી મમતા રાખ્યા છતાં આપણી થતી નથી તો પછી એથી જુદા-દૂર-અળગા રહેતા સ્વજન, લક્ષમી પ્રમુખ પદાર્થો તે પિતાના શી રીતે થઈ શકવાના હતા ? તેમ છતાં ભ્રાંતિવશ મૂઢ જીવ તે તે પદાર્થોમાં મમતા રાખી રહે છે. અનિત્ય, અશુચિ અને જડ એવા આ દેહાદિક ઉપરની મમતા તજી, વૈરાગ્ય જગાવી, ધન્ય-કૃતપુન્ય જનો જ તે દ્વારા નિત્યશાશ્વત, પવિત્ર અને સ્વાભાવિક ધર્મ પ્રાપ્ત કરી લે છે.
બીજી અશરણુ ભાવના
(માલિની વૃત્ત) પરમ પુરુષ જેવા, સંહર્યા જે કૃતાંત,
અવર શરણ કેનું, લીજીએ તેહ અંતે; પ્રિય સુદદ કુટુંબા, પાસ બેઠા જિ કે મરણસમય રાખે, જીવને તે ન કેઈ. ૧૧