________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૭ ] સમ્યફ પ્રકારે–યથાર્થ રીતે યમ–નિયમનું પાલન કરવું, પાંચે ઈદ્રિયોનું વિવેકથી સારી રીતે દમન કરવું, ક્રોધાદિક ચારે કષાયોનો ક્ષમાદિક ગુણના અભ્યાસવડે સારી રીતે નિગ્રહ કરવો, તેમ જ મન-વચન-કાયાને કબજે રાખી તેને સદુપયોગ જ કરવો તેને જ્ઞાની પુરુષ સંયમ કહે છે.
તે અદભુત સંયમ કહો કે આત્મનિગ્રહ કહે તે ઈન્દ્રાદિક દેવોને પણ દુર્લભ છે. કાયર અને સુખશીલ જન તેથી કંપે છે. તલવારની ધાર ઉપર નાચવા કરતાં પણ સંયમસેવન અતિ કઠણ છે. તલવારની ધાર ઉપર તે નટ-બાજીગર નાચી શકે છે પણ સંયમ પાળવું તેથી દુષ્કર હેવાથી સંયમનો મહિમા અદ્ભુત છે. એક રાંક જે પણ પૂર્વોક્ત સંયમના પ્રભાવે દેવેન્દ્ર અને ચકવતી જેવાને પણ પૂજા-સત્કાર કરવા ગ્ય બને છે.
પૂર્વે કરેલાં અને નવા કરાતાં કર્મનું નિવારણ કરી જે આ ભયંકર ભવસાગરથી પાર ઊતરે છે અને અનંતા શાશ્વત સુખ સાથે કાયમ માટે જોડી આપે છે તેવા શુદ્ધ સંયમનું સેવન-આરાધન કરવા શા માટે આપણે આળસ–પ્રમાદ સેવી બનશીબ રહેવું જોઈએ ?
સ્વછંદ આચરણવડે જીવ સ્વહિતથી ચૂકી, અહિતને જ આદરી અંતે દુઃખી થાય છે. માઠાં આચરણ કરવાથી જયારે જીવ પરાધીન થઈ દુઃખી થાય છે ત્યારે તેનું કે રક્ષણ કરી શકતું નથી.
કૃષ્ણ વાસુદેવનું અવસાન થયા પછી તેના અતિ પ્રિય બંધુ બળભદ્રજીને વૈરાગ્ય જાગ્રત થવાથી સંયમ લહીને તેનું યથાર્થ સેવન–આરાધન કર્યું. પોતાના અદ્ભુત રૂપથી કઈ મેહાન્ત