________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૫ ]
સુગતિ લહી ક્ષમાએ, ખંધ સુરીશશિષ્યા, સુગતિ દૃઢપ્રહારી, ક્રૂરગડુ મુનીશા; ગજમુનિય ક્ષમાએ, મુક્તિ પથા આરાધે તિમ સુગતિ ક્ષમાએ, સાધુ મેતા સાથે,
૬
ક્રોધાદિક કષાયની કે રાગદ્વેષની શાંતિ, સમતા, ધીરજ એ બધા ક્ષમાના રૂપાંતર-પર્યાયવાચક નામેા છે. તેને પ્રભાવ ખરેખર અલોકિક છે. તે અશુભ-પાપકર્મ ને દૂર કરે છે. કરવામાં આવતાં બધા માહ્ય-આભ્યતર તપને સાર્થક કરે છે અને પુન્યલક્ષ્મી કહા કે શુભ કર્મોને પોષે છે. ક્ષમા-સમતાયેગે સકળ શ્રુત-શાસ્ત્રનું સેવન-આરાધન થઇ શકે છે અને સકળ કર્મબંધનથી મુક્ત થઈ શકાય છે. જે સમતાથી સદા ય સ્વગુણની વૃદ્ધિ-પુષ્ટિ થવા પામે છે તેનાથી કઈ વસ્તુ સાધી ન શકાય ? અષિતુ કહેવાનું કે સર્વ ઇચ્છિત વસ્તુ સમતાવર્ડ સહેજે મળી આવે છે; પરંતુ એવી અપૂર્વ સમતા-ક્ષમા આવવી જ મુશ્કેલ છે.
જે મહાનુભાવ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મસ્થિરતાને અભ્યાસખળે યથાર્થ પ્રાપ્ત કરી શકે છે તે જ પુરુષાર્થ વત આત્મા તેવી સમતાને પામે છે. બીજા પણ ધારે તે વધારે નહિ તેા પણ તેવા સમર્થ સમતાવત–નિકટનવી જનેાની પ્રશંસા કરી અને તે તે કારણને અને તેટલે અભ્યાસ કરી પેાતાના આત્મામાં તથાપ્રકારની યેાગ્યતા પેદા કરી શકે. એ પણ જરૂરનુ જ છે.
ઉપકાર, અપકાર, વિપાક, વચન અને અસ`ગ એમ ક્ષમાના પાંચ પ્રકાર છે. પ્રથમની ત્રણ પ્રકારની લૌકિક ક્ષમા