________________
[ ૧૭૮ ]
શ્રી કર્ખરવિજયજી . બની અનર્થભાગી ન થાય એવી પવિત્ર બુદ્ધિથી એકાન્ત તુંગગિરિ ઉપર નિવાસ કરી તપ, જપ, જ્ઞાન, ધ્યાનનો બળભદ્રમુનિએ એ અભ્યાસ કર્યો કે તેના પ્રભાવથી હિંસક જાનવરો પણ શાંત બની ગયા અને તે કાળધર્મ પામી પાંચમાં બ્રહ્મ દેવલોકમાં સીધાવ્યા.
પદ્વાદશ-બાર ભાવના વિષે. પહેલી અનિત્ય ભાવના
(માલિની વૃત્ત) ધણ કણ તનુજીવી, વીજ ઝાત્કાર જેવી, સુજન તરુણ મૈત્રી, સ્વપ્ન જેવી ગણેવી; અહ મમ મમતાએ, મૂઢતા કાંઈ માગે, અથિર અરથ જાણું, એણશું કેણુ રાચે? ૯ ધરણી તરુ ગિરીંદા, દેખીએ ભાવ જોઈ સુર–ધનુષ પરે તે, ભંગુરા ભાવ તેઈ; ઈમ હૃદય વિમાસી, કારમી દેહ છાયા, તજીય ભરતરાયા, ચિત્ત યોગે લગાયા. ૧૦
લક્ષમી અને જીવિત વીજળીના ઝબકારા જેવાં ક્ષણભંગુરજોતજોતામાં અદશ્ય થઈ જનાર છે, વળી સ્વજન કુટુંબી સાથને મેળે તથા જુવાનીને સંગ સ્વપ્ન જે ક્ષણિક છે, તે પછી ખોટી માયા–મમતા કરી તેમાં શા માટે મુંઝાઈ રહે છે? વસ્તુની અસારતા અને ક્ષણિકતા વિચારી શાણા જનોએ તે તે વસ્તુમાં રાચવું જોઈએ નહિ.
પૃથ્વી, તર–વૃક્ષો અને પર્વતાદિક પદાર્થો ઈન્દ્રધનુષ્યની