________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૩] વિશેષમાં એ કે શિક્ષા અથવા અનુગ્રહનું ફળ સંપૂર્ણ તે તે જ મેળવી રહે ત્યાં સુધી તેની પૂરી તપાસ રાખ્યા કરે છે અને તે પ્રત્યેક પ્રસંગે તેમની વૃત્તિનું સૂક્ષમ રીતે નિરીક્ષણ કરતો રહે છે. વળી તેમના શુભાશુભ વર્તન, હર્ષ, ખેદ, ઉન્માદ કે સમભાવ પ્રમાણે તેમનું હિતાહિત નિષ્પક્ષપણે કરવા તે પ્રવર્તે છે. કમ મહારાજની જેમના ઉપર કૃપા-નજર થાય છે તે ઊંચી પાયરીએ ચઢી શકે છે અને તેની અવકૃપા થાય છે તેનો વિનિપાત-વિનાશ થતાં વાર લાગતી નથી. જેવું જેમનું વર્તન તેવું તેમને ફળ મળી રહે છે.
લેકિક શાસ્ત્ર મુજબ ચંદ્ર કલંકિત થયે, શંકર-મહાદેવે ભીખ માંગી, બલીરાજા પાસે વિષ્ણુએ દીન પણે પ્રાર્થના કરી એ સર્વ કર્મવશવતીપણાથી સમજવું. વળી બ્રહ્મા, ઈન્દ્ર અને સૂર્યાદિ દેવ પણ કર્મયોગે ઊંચી પદવી પામ્યા અને કર્મવશ પિતાનું ભાન ભૂલી પાછા સ્ત્રી–મેહનીમાં ફસાઈ પડ્યા. કમરાજા જેવું કોઈ બીજું બળીયું જણાતું નથી.
આ પ્રમાણે કર્મનું વર્ણન થોડું ઘણું લોકિક શાસ્ત્રોમાં પણ કરેલું દેખાય છે; પરંતુ તેનું યથાતથ્ય-આબેહૂબ યથાર્થ વર્ણન સર્વોપદેશિત જિનાગમ–જેનશાસ્ત્રોમાં કરેલું છે. તેમાં વસ્તુત: કર્મનો કર્તા, ભક્તા, સંસારમાં સંસર્તા અને સંસારનો અંત કરનાર જીવ પિતે જ કહ્યો છે. જેવાં જેવાં શુભાશુભ કર્મ જીવ પોતે કરે છે તેવા તેવાં તેના સારા-માઠાં ફળ તે સંસારમાં ભગવે છે.
મિથ્યાત્વ–બુદ્ધિવિપર્યાસ, અવિરતિ-સ્વછંદ વર્તન, હિંસા અસત્યાદિક પાપનું સેવન, ક્રોધ, માન, માયા, લોભરૂપ ચાર