________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૧ ] ઉત્તમ ક્ષમાદિક ધર્મનું સેવન કરવાથી દુરિત-તાપ દૂર થાય છે, કરેલું તપ લેખે લાગે થાય છે, કર્મનો અંત આવે છે, પુન્યલમીની વૃદ્ધિ થાય છે અને શ્રુતજ્ઞાનનું આરાધન થાય છે. ઉત્તમ ક્ષમા-સમતાયેગે જ અંધસૂરિના શિષ્ય, દૃઢપ્રહારી, ફરગડ, ગજસુકુમાલ અને મેતાર્ય પ્રમુખ મહામુનીશ્વરો સકળ કર્મનો ક્ષય કરી મુક્તિપદને પ્રાપ્ત થયા છે.
આત્મસંયમ( Self-Restraint )વડે આત્મામાં નવા કમ આવી દાખલ થઈ શકતાં નથી અને સમતા સહિત તીવ્ર તપ કરવાથી પૂર્વે કરેલાં કર્મ બળીજળી નષ્ટ થાય છે. એથી
આત્મ શીધ્ર શુદ્ધ થવા પામે છે, એટલે અત્યારસુધી કર્મમળવડે ઢંકાઈ રહેલા સકળ સ્વગુણે પ્રકાશમાન થાય છે એ જ ખરેખરી સ્વદયા છે અને એવી જ રીતે અન્ય ભવ્યાત્માઓને નિજ નિજ આત્મગુણો પ્રકાશમાન કરવા સમ્યગ્રજ્ઞાન, સમ્યગશ્રદ્ધા-દર્શન, સમ્યચરિત્રનો સત્ય માર્ગ બતાવે તે જ ખરી શ્રેષ્ઠ દયા છે. આ ભાવદયાને અડચણ-હરત ન આવે પણ પુષ્ટિ મળે એવા પવિત્ર લક્ષ્યથી જ દ્રવ્ય દયા-સ્વપરપ્રાણરક્ષા કરવા, વીતરાગ પરમાત્મા શાસ્ત્રદ્વારા આપણને ફરમાવે છે.
અહિંસા, સંયમ અને તપ લક્ષણ ધર્મને પરમ મંગળરૂપ શાસ્ત્રમાં વખાણ્યું છે. અનિત્યાદિ દ્વાદશ-બાર ભાવના અને મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુષ્કરૂપી રસાયણનું સેવન કરનાર ભાવિત આત્મા સકળ અશુભ કર્મરોગને ટાળી ક્ષમાદિક ઉત્તમ ગુણેનું સેવન કરી સ્વાત્મગુણની પુષ્ટિ કરવા સમર્થ થાય છે, સ્વાત્મગુણોને સંપૂર્ણ વિકાસ થાય એ જ ખરો મેક્ષ છે.