________________
૧. મેક્ષાર્થ વિષે
પરમપદ-મોક્ષ માટે પુરુષાર્થ ફેરવવા હિતોપદેશ
(માલિની વૃત્ત.) ઇહ ભવ સુખ હેતે, કે પ્રવર્તે ભલે, પરભવ સુખ હેતે, જે પ્રવર્તે અને અવર અથે ઇડી, મુકિત પંથા અરાધે, પરમ પુરુષ સેઈ, જેહ ક્ષાર્થ સાથે. ૧ તજિય ભરત કેરી, જેણ પખંડ ભૂમિ, શિવપથ જિણ સાથો સોળમા શાંતિસ્વામી; ગજ મુનિ સુપ્રસિદ્ધા, જેમ પ્રત્યેકબુદ્ધા,
અવર અરથે છેડી, ધન્ય તે મોક્ષ સુદ્ધા. ૨. જગતના ભિન્ન ભિન્ન રુચિવાળા જીવો પૈકી કેઈ આ લેકના સુખ માટે કે કઈ પલકના સુખ માટે પ્રવૃત્તિ-પ્રયત્ન કરતાં દેખાય છે, પણ એ બધી આશા-તૃષ્ણા તજી જે કેવળ કર્મ મુક્ત થઈ મોક્ષપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તે જ ખરેખર પરમપુરુષાર્થની પંક્તિમાં ગણાવા છે. આત્મજ્ઞાનને ઊંડો પ્રકાશ જેને થયું છે તે શાંતિનાથાદિ તીર્થકરે, ભરતાદિક ચક્રવર્તીએ, નમિપ્રમુખ પ્રત્યેકબુધ્ધ અને ગજસુકુમાલાદિક મુનિવરે બીજે બધે ય અર્થ તજી દઈ દઢશ્રદ્ધા અને શુદ્ધ ચારિત્રને સેવી મોક્ષના જ અધિકારી થયા છે તેમને ધન્ય છે.