________________
[ ૧૨૬ ]
શ્રી કરવિજયજી વખતે પહેરવાનો કછેટ જ પામ્યા હતા પણ તેને હનુમાને મહાલાભરૂપ માન્યો હતો; માન-હાનિરૂપ માન્ય ન હતો.)
માણસો અનેક પ્રકારના મનેરો કરે કે ન કરે પણ પુન્ય વગર કે પુરુષાર્થ કર્યા વગર તે મને રથો પૂરા થઈ શકતા નથી. ઘણી વાર ઘણાએક પ્રસંગમાં તો મનની હોંશ મનમાં જ રહી જાય છે. જે હેશ પૂરી કરવી જ હોય તે તેને યોગ્ય પ્રયત્ન કરવો જ જોઈએ. પિતાની શક્તિ ખીલવવા જરૂરી સાધનો ઉપયોગ કરવો ઘટે તો તે કરવો જોઈએ. જેમણે આગલા જન્મમાં સુકૃત્ય કર્યા હોય છે તેમને તેમની શુભ કૃત્યથી કે પુન્યના પ્રભાવથી એવી સ્થિતિ હેજે પ્રાપ્ત થાય છે કે તે પોતાની બધી હોંશે પૂરી કરી શકે છે. મોટું એશ્વર્ય, વિશાળબુદ્ધિ, લોકપ્રિયતા, કાર્યદક્ષતા અને પરોપકારવૃત્તિ વિગેરેની પ્રાપ્તિ સારા પુન્ય વગર થઈ શકતી નથી. પૂર્વ જન્મમાં શુદ્ધ ભાવથી અલ્પ પણ દાનાદિક કરણી કરી હેય છે તે તેના પ્રભાવથી અન્ય જન્મમાં જીવ એવી વિશાળ સામગ્રી પામી શકે છે કે તે શુભ સામગ્રી સાથે સુબુદ્ધિના યેગે ધારે તેટલાં સારાં કામ કરી શકે છે. શાલિભદ્ર જેવા વિશાળ ભેગવિલાસ, અભયકુમાર જેવી વિશાળ બુદ્ધિ અને ચક્રવત્તી જેવું સામ્રાજ્ય પામી જે તેની સાથે સબુદ્ધિને ઉત્તમ યોગ થયે હોય તે બાકી શું રહે? આ લેકમાં પ્રાપ્ત થયેલ સુખ સંતોષથી ભેગવી, સ્વપરહિત કરવા સાથે જે ઊલટભર્યો પ્રયાસ કર્યો હોય છે તેથી જ ભવાન્તરમાં તે સુખી થાય છે. દુ:ખ એ આપણે જ કરેલી ભૂલની શિક્ષારૂપ છે અને તે આપણને જાગ્રત કરવા–સતેજ બનાવવા માટે જરૂરનું પણ છે. દુઃખમાં ઘણે ભાગે આપણું ભાન ઠેકાણે આવે છે, પરંતુ