________________
[ ૧૨૮ ]
શ્રી કરવિજયજી પ્રેમશૂન્ય હોય છે. તેમની સંગાતે પ્રીતિ કરવી નકામી છે; એટલું જ નહીં પણ વખતે તે ભારે અનર્થકારક પણ થાય છે. એ વાતનું સમર્થન કરવા અત્રે એક કથાનક કહે છે –
વસનારા એક મગરમચ્છને એકદા એક વાનરે દિઠે અને તેને મીઠાં સ્વાદિષ્ટ ફળ ચખાડીને પોતાનો મનમા મિત્ર બનાવ્યું. પરિણામ એ આવ્યું કે તે વાનરનું જ કાળજું ખાવા મગરે બાજી રચી તેને ફસાવ્યા, પરંતુ પછીથી ખરી હકીકત જણાતાં વાનર તેમાંથી બચી ગયા.
પેલે મગર કઈ વખત થોડાં મધુરાં ફળ પોતાની સ્ત્રી (મગરી) પાસે લઈ ગયા અને તેને બધી હકીકત કહી દીધી; એટલે મગરીએ કહ્યું કે “હમેશાં આવાં મીઠાં ફળ ખાનારા વાનરનું કાળજું કેવું મીઠું હશે ? મારે તે એ વાનરનું કાળજું જ ખાવા જોઈએ. ગમે તેવી ચતુરાઈ કરીને મને તેનું કાળજું ખાવા આપ.” મગરે તને બહુ બહુ સમજાવી પણ તે બીજી કોઈ રીતે સમજી નહિ, ત્યારે મગરે વાનર પાસે વખતસર આવી, પ્રપંચ રચી, તેને આડુંઅવળું સમજાવી પોતાની સ્ત્રી મગરીનું મન મનાવવા વાનરને પિતાની પીઠ ઉપર બેસાડીને જળમાં તરત ચાલ્યો. માર્ગમાં ખરી હકીક્ત. મગરે જણાવી દીધી, તેથી બુદ્ધિબળથી વાનરે કહ્યું કે “ભલા મિત્ર! એ વાત પહેલી કહેવી હતી ને. મારું કાળજું તે હું સાથે લાવ્યો નથી, પણ સામેના ઝાડ પર લટકે છે, તેથી મગરે કાળજું લાવવા પાછો કાંઠે મૂળે એટલે યુક્તિથી તે વાનર બચી ગયે.
આંબાના અને લીંબડાના મૂળ સાથે મળ્યાં હોય તે તે નીંબના પ્રસંગથી આ વિણસી જાય છે, એટલે લીંબડાની