________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી નબળી સોબતથી સદા ય ચેતતા રહેવાની જરૂર છે, કેમકે તેમને તેને ચેપ જલદી લાગી શકે છે અને પરંપરાએ તે વધતો જાય છે, એમ સમજી આપણે તો દુર્જનોથી અધિક ચેતતા રહેવું.
૯ અવિશ્વાસ વિશ્વાસઘાત નહિ કરવા તેમજ દરેકને વિશ્વાસ નહિ કરવા હિતોપદેશ.
| ( ઉપજાતિ વૃત્ત ) વિધાસી સાથે ન છળે રમીજે, ન વૈરી વિશ્વાસ કદાપિ કીજે; જે ચિત્ત એ ધીરગુણે ધરીને, તો લચ્છી લીલા જગમાં વરીજે. ૧૭
( ઇન્દ્રવજા વૃત્ત ) ચાણક્ય ક્યું નિજ કાજ સાર્યો, જે રાજભાગી નૃપ તેહ માર્યો; જે ઘુઅડે કાગ વિશ્વાસ કીધે,
તે વાયસે ધૂકને દાહ કીધા. ૧૮ સહજ સ્વભાવથી કે ધર્મબુદ્ધિથી જે આપણા ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખી રહ્યા હોય, આપણે તેનું કદાપિ અહિત કરીએ કે તેને અહિત માગે દેરીએ એવું જે સ્વપ્નમાં પણ સમજતા ન હોય અર્થાત્ જેને આપણા સંબંધી કશો ગેરવિશ્વાસ ન જ હોય તેવા ભેળા-ભદ્રિક શ્રદ્ધાવત વિશ્વાસુને કદાપિ છેતરવાને–દ દેવાને સ્વપ્નમાં પણ વિચાર કરે નહિ; કેમકે વિશ્વાસઘાત કરવા જેવું એકે ઉગ્ર પાપ નથી. જે બીજા કોઈને વિશ્વાસ કરતા ન હોય તે પણ ધર્મ કે