________________
[ ૧૫૬ ]
શ્રી કર્ખરવિજયજી કરણ પણ કરે છે, પરંતુ પરના દોષ ઉઘાડા કરી વિગેવણા (નિદા-લઘુતા) કદાપિ કરતા નથી, વળી જે ઉપકારી જનને ઉપકાર ભૂલતા નથી, કૃતજ્ઞપણે તેમને પ્રત્યુપકાર કરવા તક મળે તો જે ચકતા નથી, મુખથી અમૃત જેવાં મીઠાં વચન જ બેલે છે, જેઓ શરદબાતુના સંપૂર્ણ શીતળતા વર્ષાવનારા મેરુપર્વત જેવી ધીરતા-નિશ્ચળતા અને સાગર જેવી ગંભીરતા ધરનારા છે તેવા માન જ ઉત્તમ પંક્તિના લેખાય છે.
રૂપ સૈભાગ્યથી શોભિત અને સત્ત્વ-પરાક્રમાદિક ગુણેવડે અલંકૃત શ્રી રામચન્દ્રજી જેવા ધીર, વીર, ગંભીર, વિરલા મનુષ્ય જ હોય છે.
(૨) પુરુષદેષ વર્ણન
| (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) લંકા સ્વામી હરતી રામ તજી તે સીતાતણ એ થકી, શ્રી વેચી હરિચંદ્ર પાંડવ નૃપે કૃષ્ણ ન રાખી શકી; રાત્રે ઊંડી નિજ ત્રિયા નળનૃપે એ દોષ મોટા ભણી, જેવા ઉત્તમમાંહિ દોષ ગણના ક વાત બીજા તણું? ૮
રાવણ જેવા પ્રતિવાસુદેવે સીતા જેવી પવિત્ર સતીનું હરણ કર્યું, રામચંદ્ર જેવા નમૂનેદાર નીતિવંત રાજાએ સીતા સતીને ત્યાગ કર્યો, હરિશ્ચંદ્ર રાજાએ પોતાની રાણી તારામતીને વેચી, પાંડે પિતાની પત્ની દ્રોપદીને જૂગારમાં હારી ગયા, તેમજ પવોત્તર રાજાએ હરણ કરાવ્યું ત્યારે રાખી ન શકયા. વળી નળરાજા પોતાની પ્રાણપ્રિય રાણી દમયંતીને રાત્રે એકલી વનમાં
૧ દ્રૌપદી