________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫૯ ]. પિતાના પવિત્ર શીલનું જ રક્ષણ કરે છે. તેવી સ્ત્રીઓ સદ્દગુણું– સુલક્ષણું ગણાય છે.
૩. સુલક્ષણી સ્ત્રી વર્ણન
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) રૂડી રૂપવતી સુશીલ સુગુણ લાવણ્ય અંગે લસે, લજજાળ પ્રિયવાદિની પ્રિયતણે ચિત્ત સદા જે વસે; લીલા વન ઉલસે ઉરવશી જાણે લોકે વસી, એવી પુણ્યતણે પસાય લહીએ રામા રમા સારસી. ૧૨
( ઉપજાતિ વૃત્ત). સીતા સુભદ્રા નળરાયરાણું, જે પદી શીલવતી વખાણી; જે એહવી શીલગુણે સમાણું,
સુલક્ષણા તે જગમાંહી જાણું. ૧૩ રૂડી-રૂપાળી, સુશીલવંતી, સદગુણી, લાવણ્યની શોભાવાળી, લજજાવંતી, પ્રિયવાદિની-પ્રિય-મિષ્ટ્રવચન બેલનારી, પતિના મનમાં વસી રહેનારી, વિનીત અને વૈવનવયની શોભાથી જાણે ઉર્વશી આ મૃત્યુલોકમાં આવી વસી હોય એવી, લક્ષ્મીના અવતાર જેવી સાનુકૂળ સ્ત્રીનો સંબંધ પૂર્વના પુન્યયોગે પ્રાપ્ત થઈ શકે છે. આવી સ્ત્રીના ગે ગૃહસ્થ ધર્મ સારી રીતે પાળી શકાય છે, તેથી પવિત્ર ગુણવંતી સ્ત્રીને ધર્મપત્ની કહેવામાં આવે છે.
સીતા, સુભદ્રા, દમયંતી અને દ્રપદી વિગેરે અનેક સતીએ પોતાના પવિત્ર શીલગુણવડે જગપ્રસિદ્ધ થયેલી છે.