________________
[ ૧૬૨ ]
શ્રી કપૂરવિજયજી એકમેક થઈ જતાં ફક્ત એક સ્તન-યુગલ જ અંતરાયરૂપ થાય છેનમ્રતા દાખવતા નથી અને ઉન્નત થઈ જાય છે, એટલે વચમાં આંતર રાખે છે, જે મને ઈષ્ટ નથી. હું તો મારા પતિથી લગારે અંતર રહે તેવું ઈચ્છતી યા પસંદ કરતી નથી.
ઉપર કહી તે લૈકિક પ્રેમની વાત કહી તેની અવધિમર્યાદા બતાવી, એ કરતાં શુદ્ધ ચેતનાને પિતાને આત્મારામ પ્રભુ સંગાથે ભેટો થતાં જે અપૂર્વ અલોકિક કે લોકોત્તર પ્રેમ પ્રગટે છે તે તે અવધિ-મર્યાદા વગરને અનવધિ-અમર્યાદઅખંડ અને અનંત હોય છે. હજી સુધી તેવા અનવધિ પ્રેમને તો વિગ છે. તે દૂર કરવાના પવિત્ર લક્ષથી જ સુગુણ દંપતીએ એકતાર બની સાવધાનપણે સ્વધર્મ સાધના કરવી ઘટે છે. આવું પવિત્ર લક્ષ શુદ્ધ સમ્યગદષ્ટિવંત દંપતીમાં જ સંભવે છે, જે અન્ય શાણા દંપતીવર્ગને પણ અનુકરણ કરવા ગ્ય છે.
પ્રાણપ્રિય પતિનો વિરહ ખરી પતિવ્રતા નારીને કેટલો પડે છે તેનું અત્ર વર્ણન કરે છે.
સુગુણ પતિના વિરહને એક દિવસ વરસ જેવડો મોટો થઈ પડે છે અને એક રાત્રિ જાણે કલ્પાંત કાળ જેવી મેટી ભયંકર લાગે છે. વિનેાદી દંપતીને ઠંડક ઉપજાવનારું કદલી-કેળનું વન પણ તેણુને શાન્તિ ઉપજાવી શકતું નથી અને ચંદ્રના શીતળ કિરણથી તેના આંતર તાપની શાંતિ થઈ શકતી નથી, ઊલટાં તે બધા તેને તાપકારી થઈ પડે છે. આ વાતમાં ફક્ત લૌકિક પ્રેમપાત્ર પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીને કેવી વ્યથાપીડા થાય છે તેને જ કંઈક ચિતાર આપે છે.