________________
[ ૧૫૪ ]
શ્રી કપૂરવિજયજી
કામના સપાટામાં આવી ગયા અને જોતજોતામાં સ્ત્રીવશ થઈ ગયા, તેા પછી બીજા સામાન્ય જનેાનુ તા કહેવું જ શું ? કામદેવનું એવું ભારે પરાક્રમ સમજવા જેવું છે.
જૈન શાસ્ત્રના આધારથી જણાવે છે-કે નળરાજા દીક્ષા લીધા પછી દમયંતી સાધ્વીનું રૂપ જોઇ ચારિત્રમાંથી ચળાયમાન થયા. શ્રી નેમિનાથ પ્રભુના ભાઇ રહનેમિ ગિરનાર ઉપર ગુફામાં ધ્યાનસ્થ જે સ્થળે રહ્યા હતા તે સ્થળે વર્ષાદથી ભીંજાયેલા રાજીમતી સાધ્વીજી ( અજાણ્યા ) પેસીને પાતાનાં ભીનાં વસ્ત્ર પહેાળા કરતા હતા ત્યારે તેમને નવસ્રા જોઇને ધ્યાનથી ચૂક્યા હતા. તેમ જ રાજા શ્રેણિકની રાણી ચૈત્રુણાનુ અદ્ભુત રૂપ જોઇને મહાવીર પ્રભુના મુનિએ વ્યામાહ પામ્યા હતા. એ બધા પ્રકાર કામબાણની વ્યથાથી થતા ઉન્માદ જ જાણવા કામવશ થયેલી વિહ્વળતાનુ પરિણામ સમજવું.
ભવિતવ્યતા યા ભાવીભાવની વાત જુદી છે, પરંતુ તેવુ માની લઇને શાસ્ત્રોક્ત પુરુષાર્થ તજી દેવાના નથી. એટલુ જ નહિં પણ તેને દઢપણે સેવવા-આદરવા જરૂર છે. કામદેવને જીતવા અથવા તેનાથી પેાતાના બ્રહ્મવ્રતનું રક્ષણ કરવા પેાતાના અચાવ કરવા માટે જ્ઞાની પુરુષાએ નવ પ્રકારની બ્રહ્મ ગ્રુતિ ( નવ બ્રહ્મચર્યની વાડા ) કહી છે તેનું યત્નપૂર્વક પાલન કરવુ જોઇએ.
*