________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫૩ ] અથવા તેનાથી ડરી જાય છે. એ એકલા કામદેવે જગતમાં પ્રસિદ્ધ એવું પોતાનું સ્ત્રીરૂપી શસ્ત્ર હાથમાં લઈ દે અને માનવોના વૃદો(ટેળે ટેળાં)ને જીતી લીધા છે.
હજી સુધી દુનિયામાં એ કામદેવ દુર્જયી–ભારે કષ્ટવડે જીતી શકાય એવો બહુ પરાક્રમી જણાય છે, કેમકે ત્રિભુવનવત દેવેની પંક્તિ (દેવતાઓ ) તેના સ્ત્રીરૂપી શસ્ત્રથી ઘવાઈ-ભ્રષ્ટ થઈ–હારી તેને શરણે થઈ ગયા જણાય છે. જુઓ ! વિધિવિધાતા-બ્રહ્મા તેનાથી હારી જઈ જળજ-કમળની ઉપાસના કરે છે, તેથી તે કમલાસન કહેવાય છે, વિષ્ણુ-કૃષ્ણ લક્ષ્મીદેવીની ઉપાસના કરે છે, હર-શંકર-મહાદેવે હિમગિરિજાપાર્વતીને પિતાનું અર્ધાગ અર્પણ કર્યું છે. આ પ્રમાણે લેકમાં લેખાતા મુખ્ય દેવે હરિ, હર, બ્રહ્મ પણ કામદેવને વશ થઈ જવાથી તેમની વિડંબના થઈ છે.
ભીલડીનું રૂપ લઈને ઉમથા-પાર્વતીએ શંકર-મહાદેવને છન્યા હતા. ભીલડીનું અદ્ભુત રૂપ જોઈને વનમાં તપસ્યા કરવા ગયેલા મહાદેવ કામથી ચલાયમાન થયા હતા. ચતુર્મુખબ્રહ્મા પિતાની પુત્રીનું જ રૂપ જે ઈ ચલાયમાન થયા હતા. હરિ–વિષ્ણુ ગેપીમાં લુબ્ધ થયા હતા. ઇંદ્ર ગૌતમની સ્ત્રી અહલ્યા સાથે ભેગવિલાસ કર્યો હતો. એવી રીતે કામદેવે આ જગતમાં મોટા મહંત લેખાતા એવા દેને પણ ભેળવી નાંખ્યા અને તેમને કાયરજનોની જેમ રોળવી દીધા, એટલે તેમની આબરૂના કાંકરા કરી નાંખ્યા. આ બધી વાત લોકિક શાસ્ત્રોના આધારે અહીં જણાવેલ છે. મતલબ એવી છે કે જ્યારે દુનિયામાં નામીચા લેખાતા મેટા મહંત દેવે પણ