________________
[ ૧૪૦ ]
શ્રી કર્ખરવિજયજી તેને કાંઈ ઉપદ્રવ કરી શકતો નહતો-શાંત થઈ જતો હતો, તે જ મુનિ સ્થલભદ્રની ઈર્ષોથી કેક્યા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. કેશ્યાના એક કટાક્ષ માત્રથી જ ઘાયલ થઈ ગયા અને કામસેવાની પ્રાર્થના કરી. કેશ્યાએ દ્રવ્યની આવશ્યકતા પહેલી બતાવી, તેથી લક્ષમૂલ્યનું રત્નકંબળ લેવા મુનિ પણાને બાજુ પર મૂકીને ચોમાસામાં નેપાળ દેશમાં ગયા. વેશ્યાગમન આટલું બધું હાનિકારક છે; તેથી તે અવશ્ય તજવા લાયક છે. - ૬ છણું દુર્વ્યસન શિકાર કરવો તે છે. શાસ્ત્રકાર કહે છે કે હે ઉત્તમ પ્રાણુ! તું મૃગયા-શિકાર કે જે જીવઘાતરૂપ છે તેને તજી દે અને સર્વ જીવ પરની દયાને સદા-નિરંતર ભજઅંગીકાર કર, જુઓ મૃગયાથી કૃષ્ણ રામચંદ્રાદિ જેવા મહાન રાજા પણ અનેક પ્રકારનાં દુઃખ પામ્યા છે.
૭ સાતમું દુર્વ્યસન પરસ્ત્રીગમન કરવું તે છે. ઉત્તમ પુરુષો નિરંતર સ્વદારાસતોષી જ હોય છે. શાસ્ત્રકાર કહે છે કેતને સ્વર્ગના સુખ મેળવવાની ઈચ્છા કે આશા હોય તે તું પરનારીના વિલાસને–તેના સંસર્ગને સર્વથા તજી દે. પરદારાગમનથી આ જન્મમાં પણ દુઃખ છે અને પરલોકમાં પણ સર્વથા સુખની પ્રાપ્તિ થતી નથી. દુખ જ પ્રાપ્ત થાય છે.
પૂર્વોક્ત સાત વ્યસનના ઉદાહરણે
| (શાર્દૂલવિક્રીડિતવૃત્ત) જુઆ ખેલણ પાંડવા વન ભમ્યા, મધે બળી દ્વારિકા, માંસે શ્રેણિક નારકી દુખ લહ્યાં, બાંધ્યાં ન કે ચરિકા આખેટે દશરથપુત્ર વિરહી, કૈવનો વેશ્યા ધરે, લંકાસ્વામી પત્રિયા રસ રમે, જે એ તજે તે તરે. ૨૮