________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૪૧ ]
જુગાર, મદ્ય-દારૂ, માંસભક્ષણ, ચારી, આખેટક-શિકાર, વેશ્યાગમન, પરસેવા-એ સાત મુખ્યસના સેવવાથી જીવને અતિ ઘાર નરક ગતિમાં લઇ જાય છે અને અહીં પણ પ્રગટપણે લક્ષ્મીની અને કીર્તિની ભારે હાનિ કરે છે, એમ સમજી શાણા જનાએ ઉક્ત સાત દુર્વ્યસનાને સર્વથા તજવા જોઇએ. એ કુવ્યસન તજવાથી જ પવિત્ર ધર્મકરણી કરવાની સુબુદ્ધિ સૂજે છે અને સ્વજન્મ સફળ કરી પરિણામે માક્ષલક્ષ્મી
સહેજે પ્રાપ્ત કરે છે.
જુગારથી પાંડવાને ચાદ વર્ષ સુધી આમતેમ રાજપાટ તજી ભટકવુ પડ્યું, સુરાપાનથી યાદવેાની દ્વારિકાના અગ્નિયેાગે વિનાશ થયા, માંસ-ભક્ષણવર્ડ શ્રેણિકરાજાને નરકનાં દુ:ખ ભાગવવાં પડ્યાં, ચારીવડે અનેક ચેારા પ્રગટ વધ–મ ધનાદિક પામે છે, આહેડા-શિકાર કર્મ વડે રામચન્દ્રજીને સતી સીતાને વિયેાગ થયા, વેશ્યાગમનવડે કૈવન્ના શેઠ ધન રહિત થઈ અપમાન પામ્યા, અને રાવણ પરસ્ત્રીના વિષયરસવડે લંકાનગરીનું રાજ્ય હારી, મરણશરણુ થઇ નરકગતિમાં ગયા, જેથી દુનિયામાં તેની ભારે અપકીર્તિ થઇ. એમ સમજી જે સુજ્ઞજના એ મુખ્યસનાને સર્વથા તજે છે તેએ સર્વ રીતે સુખી થાય છે.
આ સાત કુવ્યસને ઉપરાંત બીજા શરીરની પાયમાલી કરનારા અને લક્ષ્મી પ્રમુખની હાનિ કરનારા અફ઼ીણ, ગાંજો અને તમાકુ વિગેરે જે જે કુબ્યસનેા-અપલક્ષણા છે તેને સ્વપરહિત ઇચ્છનારાઓએ જલદી તિલાંજલિ દેવી જોઇએ. સ્વપરહિતમાં હાનિ થાય એવુ એક પણ કુબ્યસન રાખવું ન જોઇએ. સ્વસંતતિ અને દેશની આબાદી ઈચ્છનારે પણ એમ જ કરવું જોઇએ.