________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૧૪૭ ] શાસ્ત્રવચન કે જ્ઞાનીનાં વચનો અમૃત જેવાં મીઠાં છતાં મૂ–અજ્ઞાન જીવને ભેદતાં-અસર કરતાં નથી તેનાં હદયને પીગળાવી શકતાં નથી; કેમકે મૂર્ણ—અજ્ઞાન જીવ તેનું રહસ્ય સમજતા નથી. તેમ તેને ગુપ્ત ભેદ મેળવવા તે પ્રયત્ન પણ કરતા નથી. વળી તેવા અજ્ઞાન જીવને જે કઈ શિખામણ દેવા જાય છે તો તેના ઉપર તે ખીજવાય છે અને તેની અવગણના કરે છે. મૂર્ખ માણસ વચનના પરમાર્થને સમજતો નથી, તેથી તે એડનું ચડ વેતરી નાંખે છે. કહ્યું હોય છે કાંઈ અને સમજે છે કાંઈ, તેથી તે કાંઈ ને કાંઈ કરી નાખે છે. વખતે વિવાહની વરસી પણ કરી નાંખે છે. તેના ઉપર એક અજ્ઞાન વણિકપુત્રનું દષ્ટાન્ત સમજવા જેવું છે. –
એક અજ્ઞાન વણિકપુત્રને તેની અજ્ઞાનતાથી–અણસમજથી બહુ બહુ કષ્ટ પડ્યું, તેને ઘણું ઘણું વખતોવખત સહન કરવું પડયું, તેને ઘણાએક કડવા અનુભવો થયા તે પણ તે કંઈ સમયે નહિ. એક વખતે પ્રસંગે પાત એક રાજાની રાણુએ દયાથી તેને પિતાની પાસે નેકર તરીકે રાખે. એક વખત રાજમહેલમાં આગ લાગી હતી તે હકીકત રાજાને જલદી કહેવાની હતી તે તેણે ધીમે રહીને રાજાના કાનમાં કહી. રાજાએ તેને શિખામણ સાથે ઠપકો આપ્યો અને કહ્યું કે એવે વખતે ધૂમાડે દેખતાં જ તેના ઉપર ધૂળ વગેરે નાખવું જોઈએ.
એકદા રાણી સ્નાન કરીને માથાની વેણીને ધપતી હતી, તેને ધૂમાડે જઈ તે મૂર્ખ ઘળની પિટલી ભરી રાણુના મસ્તક ઉપર નાંખી. આવી મૂર્ખાઈ જઈને રાજાએ તેને કાઢી મૂક્યો.