________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૪૩ ]
ખેડ કરી, ખાતર નાંખી, જમીનને સરખી કરી, તેમાં સારું ખીજ વાવે છે; તેા તેથી પુષ્કળ ધાન્યની પેદાશ થવા ઉપરાંત પરાળ-ઘાસ પણ તેની સાથે જ પાકે છે. પરંતુ કંઇ પલાળની ખાતર ખેડ કરવાની જરૂર હાતી નથી, તેમ જે મહાશયેા સ્વપરનું કલ્યાણુ કરવા પવિત્ર આશયથી ઉત્તમ કરણી સ્વકર્તવ્ય સમજીને કરે છે તેથી સ્વપર આત્માનું કલ્યાણુ થવા ઉપરાંત નિર્મળ યશ-કીર્તિ પણ સહેજે અનાયાસે પ્રાપ્ત થાય છે, તે માટે જુદા પ્રયાસ કરવાની કશી જરૂર રહેતી જ નથી. કહ્યું છે કે જનમનરંજન ધનુ, મૂલ્ય ન એક બદામ. ”-જે કેવળ બાહ્યષ્ટિથી લેાકદેખાડા કરવા માટે જ શુભ કરણી કરે છે તેમાં કશુ' મહત્ત્વ નથી. ખરું મહત્ત્વ પરમાર્થષ્ટિથી કરાતી કરણીમાં જ છે.
66
૧૩, મુખ્યપ્રધાન
પ્રધાન–મુખ્ય રાજ્યાધિકારી વર્ણન.
સકળ વ્યસન વારે, સ્વામીશું ભક્તિ ધારે, સ્વપરહિત વધારે, રાજ્યનાં કાજ સારે; અનય નય વિચારે, ક્ષુદ્રતા દૂર વારે, ૧ચણિસુત જિમ ધારે, રાજ્યલક્ષ્મી વધારે
૩૦
અભયકુમાર જેવા ઉત્તમ અધિકારી-પ્રધાન હાય તે પાતે બધા વ્યસનાથી વેગળા રહે, જેથી રાજા પ્રજા ઉપર સારી છાપ પડે અને તેમને પણ વ્યસનથી દૂર રહેવા બુદ્ધિ થવા પામે, અને અનુક્રમે આખા રાજ્યમાંથી કુખ્યસન માત્ર દૂર થવા પામે. આથી સમજી શકાય છે કે અધિકારી–પ્રધાન પુરુષે ખાસ પેાતાનું
૧ ચાણાય.